Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

વડાપ્રધાન મોદી અને અમિતભાઇ શાહ વરિષ્ઠ નેતા અડવાણીના આશીર્વાદ લેવા પહોંચ્યા

વિજય મેળવ્યા બાદ મોદી- શાહની જોડીએ અડવાણીના ઘરે જઈ આશિર્વાદ લીધા

નવી દિલ્હી :લોકસભા ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ અને વડપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષીની મુલાકાત લીધી હતી. લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ મોદી- શાહની જોડીએ અડવાણીના ઘરે જઈને તેમના આશિર્વાદ લીધા હતા.

વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ  શાહ સવારે પોતાના કાફલા સાથે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા.

લાલકૃષ્ણ અડવાણી સાથેની મુલાકાત બાદ વડાપ્રધાન મોદીએ ટ્વીટર પર લખ્યું હતું કે આજે તેમની મુલાકાત કરી ભારતીય જનતા પાર્ટીની આજે જે કઈ સફળતા છે તે અડવાણીજીની દાયકાઓની મહેનત અને વિચારધારાના સંઘર્ષ બાદ મળેલી સફળતા છે.

(12:18 pm IST)