Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

અમે મોદી અને શાહના અશ્વમેઘના ઘોડાને બાંધી દીધો :કુમારસ્વામી

યુપીની ચૂંટણી બાદ ભાજપની જીતને અટકાવવી અમારું લક્ષ્ય :ભાજપે 12 વર્ષ સુધી મારો ઉપયોગ કર્યો

બેંગ્લુરુ :કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ કુમારસ્વામીએ કહ્યુ કે મે ઉત્તરપ્રદેશની ચૂંટણી બાદ કહ્યુ હતુ કે મારુ લક્ષ્ય છે નરેન્દ્ર મોદી અને અમિત શાહના અશ્વમેઘ ઘોડાને બાંધવો. કોંગ્રેસ અને જેડીએસ એ તેને પકડી લીધો છે અને બાંધી દીધો છે. હવે આ બેજાન અશ્વમેઘ જલ્દી મોદી પાસે જઈ શકે છે

   અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાચીન પરંપરા અનુસાર રાજા અશ્વમેઘ ઘોડાને છોડતા જેને કોઈ રોકી શકતુ નહિ અને જે પણ રોકે તેને રાજા સાથે યુદ્ધ કરવુ પડતુ.

   કર્ણાટકમાં ત્રીજા નંબરે રહ્યા બાદ પણ જે રીતે જેડીએસ કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવામાં સફળ રહી અને એચડી કુમારસ્વામી પ્રદેશના મુખ્યમંત્રી બન્યા તે બાદ તે ઘણા ઉત્સાહિત છે. કુમારસ્વામીના શપથગ્રહણ સમારંભમાં મોટી સંખ્યામાં વિપક્ષી દળોના નેતા એકસાથે પહેલી વાર મંચ પર દેખાયા. કુમારસ્વામીએ કહ્યુ કે ભાજપે 12 વર્ષ સુધી મારો ઉપયોગ કર્યો.

(11:11 am IST)