Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

મમતા બેનરજી નિયમિતપણે ઝભ્ભા, મિઠાઇ મોકલે છે : ગુલામ નબી મારા સારા મિત્ર

અક્ષયકુમારે લીધેલા પીએમ મોદીના રસપ્રદ ઇન્ટરવ્યુમાં અંગત જીવનના રહસ્યો ખુલ્યા

નવી દિલ્હી તા. ૨૪ : વડાપ્રધાને રાજકારણ પાછળની પણ કેટલીક વાતો અક્ષય કુમાર સાથેના ઈન્ટરવ્યૂમાં કરી હતી. તેમણે જણાવ્યું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી રાજકીય ક્ષેત્રે કટ્ટર હરીફ છે પરંતુ તેઓ ઘણા સારા સંબંધો ધરાવે છે. મોદીએ જણાવ્યું કે, 'અમારા વચ્ચે ટક્કર હોવા છતાં, દીદી પોતે જાતે પસંદ કરેલા ઝભ્ભા મને દર વર્ષે મોકલે છે. તેઓને ખબર છે કે મને બંગાળી મિઠાઈ ભાવે છે માટે તે પણ અવશ્ય મોકલે છે.'

મમતા બેનરજીને ખ્યાલ આવ્યો કે બાંગ્લાદેશના વડાપ્રધાન મને બંગાળી મિઠાઈ મોકલાવે છે તો તેમણે પણ મોકલવાનું શરૂ કર્યું તેમ વડાપ્રધાને જણાવ્યું હતું. મોદીએ જણાવ્યું કે, 'વિપક્ષમાં પણ અનેક લોકો સાથે સારા સંબંધો છે, એક વખત સંસદમાં તેઓએ કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ સાથે લાંબો સમય ચર્ચા કરી હતી. આઝાદે લોકોને જણાવ્યું હતું કે તમે જે વિચારો છો તેવું બિલકુલ નથી. અમે એક જ પરિવાર જેવા સંબંધ ધરાવીએ છે.'

(4:13 pm IST)