Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

અમરનાથ યાત્રિકોના રક્ષણાર્થે વધુ ૮૦ કંપનીઓ ખડેપગે રહેશે

જમ્મુ : ર૮ જૂનથી શરૂ થઇ રહેલ અમરનાથ યાત્રાની સુરક્ષા માટે હાલની જમ્મુ-કાશ્મીરની સ્થિતિ નજર સમક્ષ રાખી કોઇપણ આતંકી ઘટનાને ભરી પીવા સુરક્ષાદળોની વધુ ૮૦ કંપની તૈનાત કરવામાં આવશેઃ જમ્મુમાં ૩પ અને કાશ્મીરમાં ૪પ આવી કંપની ગોઠવી દેવાશે. હાઇવે ઉપર સીઆરપીએફ અને એસએસબી જવાનો પહેરો ભરશે. બીએસએફ અને લશ્કરને સરહદ ઉપર મૂકવામાં આવશે. અમરનાથ યાત્રાને કોઇપણ આતંકી હુમલામાંથી બચાવવા અને સંપૂર્ણ સુરક્ષા આપવા જમ્મુ-કાશ્મીર સરકારે કેન્દ્રને ભારપૂર્વક કહ્યું હતું.

(4:02 pm IST)