Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

પોલીસ સાથેની નકસલીઓની અથડામણમાં સૌથી મોટો સફાયો

મહારાષ્ટ્રના ગઢ ચિરૌલીમાં વધુ ૧૧ નકસલીઓના મૃતદેહ મળ્યા : ૩રનો ખાતમો ૪૮ કલાકમાં રર નકસલી ઠાર

મહારાષ્ટ્ર- છત્રીસગઢ સરહદ ઉપર વહેતી ઇન્દ્રાવતી નદીઓમાંથી ૧૧ નકસલીઓની કોહવાયેલી લાશો મળી :  રવીવારે પોલીસ સાથેની એન્કાઉન્ટમાં ભાગી છુટેલા નકસલીઓના ઇજાઓને કારણે મોત નિપજયા : સમગ્ર ગઢ ચિરૌલી વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ : સુરક્ષાદળોએ આ વિસ્તારને ચારે બાજુથી સીલ કરી દીધો છે : જિલ્લામાં ગઇકાલે સોમવારે છેલ્લામાં છેલ્લી નિમલાગટ્ટાના રાજારામ કનહિલા ગામમાં થઇ : ત્યાં ૬૦ નકસલીઓને ફુંકી માર્યા મુઠ્ઠભેડમાં માર્યા ગયેલામાં અહેરી દલમનો કમાન્ડર નંદુ સામેલ છે.

દરમિયાન મળતા હેવાલ મુજબ ગઢચિરોલીમાં સુરક્ષા દળોએ વધુ ૬ નકસલવાદીઓને ફૂંકી માર્યા છે. રવિવારના રોજ કર્ણાસુર જંગલમાં સુરક્ષાદળોએ ૧૬ નકસલવાદીઓને ઠાક કર્યા હતા. છેલ્લા ૪૮ કલાકમાં સુરક્ષા દળોએ રર નકસલાદીઓને માર્યા છે. સોમવારે અહારી તાલુકાના રાજારામ ખલ્લા ગામમાં છ માઓવાદીઓએ ભારે પથ્થરમારો કર્યો હતો.

(12:28 pm IST)