Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ગાજિયાબાદ મંદિરના મહંતે ડો.અબ્દુલ કલામને જેહાદી કહ્યા

ડાસના દેવી મંદિરના મહંત નરસિંહાનંદ સરસ્વતીએ પૂર્વ રાષ્ટ્રપતિ કલામ પર પાકિસ્તાનને પરમાણુ બોમ્બનો ફોર્મ્યૂલા આપવાનો આરોપ લગાવ્યો

ગાજિયાબાદ, તા.૨૪: દિલ્હી-એનસીઆરના મુખ્ય શહેર ગાજિયાબાદના ડાસના દેવી મંદિરના મહંતે પૂર્વ રાષ્ર્ પતિ અબ્દુલ કલામ  પર નિશાન સાધ્યું છે. નરસિંહાનંદ સરસ્વતીએ અલીગઢમાં સંવાદદાતાઓને કહ્યું કે દેશના સર્વોચ્ચ પરિવારોમાં કોઈ પણ મુસલમાન ભારત સમર્થક ન હોઈ શકે અને કલામ એક જેહાદી  હતા. કોઈ પુરાવા કે તથ્યો વગર તેઓએ કલામ પર ડીઆરડીઓ પ્રમુખ તરીકે પાકિસ્તાનને પરમાણુ બોમ્બનો ફોર્મ્યૂલાની આપૂર્તિ કરવાનો આરોપ લગાવ્યો. મહંતે દાવો કર્યો કે કલામને રાષ્ટ્રપતિ ભવનમાં એક સેલની રચના કરી હતી, જયાં કોઈ પણ મુસ્લિમ પોતાની ફરિયાદ નોંધાવી શકતો હતો.

નોંધનીય છે કે, નરસિંહાનંદ સરસ્વતી ગાજિયાબાદના એ જ મંદિરના મહંત છે, જયાં થોડા દિવસ પહેલા કથિત રીતે એક મુસ્લિમ યુવકની પાણી પીવા પર તેની સાથે મારઝૂડ કરવામાં આવી હતી. ઘટના બાદ શિરાંગી નંદ યાદવ નામના આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. સોશિયલ મીડિયા પર આ ઘટનાની ખૂબ નિંદા કરવામાં આવી હતી.

ત્યારબાદ હવે મંદિરના મહંતનું આ નિવેદન સામે આવ્યું છે. તેને લઈને હવે ફરી ચર્ચા ઉગ્ર બની છે. નોંધનીય છે કે, ભારતને પરમાણુ શકિત બનાવવાનો સૌથી મોટો શ્રેય એપીજે અબ્દુલ કલામને આપવામાં આવે છે. રાષ્ટ્રપતિ તરીકે પણ તેમના કાર્યકાળને એક સફળ કાર્યકાળ માનવામાં આવે છે. એવામાં તેમની પર મંદિરના મહંતની ટિપ્પણીએ અનેક સવાલો ઊભા કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેન ડોકટર એપીજે અબ્દુલ કલામ ભલે આપણી વચ્ચે નથી પરંતુ તેમણે કહેલી વાતો હંમેશા આપણું માર્ગદર્શન કરતી રહેશે. દેશના ૧૧માં રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું નિધન ૨૭ જુલાઈ ૨૦૧૫ના રોજ શિલોંગમાં લેકચર આપતી વખતે હૃદયરોગનો હુમલામાં થયું હતું. કલામ ભલે દેશના સર્વોચ્ચ બંધારણીય હોદ્દા પર વિરાજમાન રહ્યા, પરંતુ તેઓએ પોતાનું સમગ્ર જીવન સાદગીમાં પસાર કર્યું. પૂર્વ રાષ્ટ્રપતિને હંમેશા પોતાની સાદગી અને ઉચ્ચ વિચારો માટે યાદ રાખવામાં આવશે.

(3:19 pm IST)