Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

ભારતે કોરોના વિરુદ્ઘ ફુકયું યુદ્ઘનું મહા બ્યુગલઃ WHO સહિત સમગ્ર વિશ્વએ કરી પ્રશંસા

ભારતે કોરોના સામે અસરકારક પગલા લીધા છે

નવી દિલ્હી, તા.૨૪: કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં ગભરાટ ફેલાયો છે. આ વાયરસને લીધે, આખા વિશ્વમાં હજારો લોકોનાં મોત નીપજયાં છે અને દરરોજ નવા નવા કેસો બહાર આવી રહ્યા છે.

દરમિયાન, કોરોના સામે ભારત દ્વારા લેવામાં આવતા પગલાઓની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે. ડબ્લ્યુએચઓ એટલે કે વિશ્વ આરોગ્ય સંગઠને ભારતની પ્રશંસા કરી છે.

ડબ્લ્યુએચઓએ કહ્યું છે કે ભારતે કોરોના સામે અસરકારક પગલા લીધા છે. બસ, ટ્રેન અને મેટ્રો બંધ કરવી એ એક સારો નિર્ણય છે.

જણાવી દઈએ કે કોરોના વાયરસના વિનાશને કારણે ૨૨ માર્ચે ભારતમાં 'જનતા કરફ્યુ' લાદવામાં આવ્યો હતો. આ પછી, હજી સુધી દેશના ૩૦ રાજયો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સહિત અનેક રાજયોના મુખ્યમંત્રીઓએ લોકોને તેમના દ્યરોમાં રહેવાની અપીલ કરી છે. ગુજરાત સહીત મહારાષ્ટ્ર અને પંજાબ જેવા રાજયોએ પણ કર્ફ્યુ લગાવી દીધો છે.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે જો લોકો લોકડાઉનનું પાલન નહીં કરે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા ૪૭૧ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ૨૪ દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થયા છે જયારે ૯ લોકોનાં મોત નીપજયાં છે.

(11:56 am IST)