Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

પાકિસ્તાનના વડાપ્રધાનનો બફાટઃ મોદી ચૂંટણી જીતવા ગમે તેવા ગંભીર દાવ ખેલી શકે છે

ઇસ્લામાબાદઃ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાનખાને જણાવ્યુ છે કે, ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ઝડપથી ઘટી રહી છે, માટે તેઓ સત્તામાં જળવાઇ રહેવા માટે કોઇપણ દુઃસાહસની યોજના બનાવી શકે છ, આ કહેતા કે, પાકિસ્તાને ભારતીય ચૂ઼ટણી સમાપ્ત થવા સુધી સતર્ક રહેવું જોઇએ. ઇમરાનખાને જણાવ્યું કે  સશસ્ત્ર દળ, સરકાર અને પાકિસ્તાનના લોકો કોઇપણ પડકાર માટે તૈયાર છે. કોઇપણ આક્રમક પગલાનો યોગ્ય જવાબ આપવામા આવશે.

નરેન્દ્ર મોદીની  ભારતી જનતા પાર્ટીએ આતંકવાદને એક મજબૂત મુદો બનાવી દીધો છે જેના પર તે આગામી લોકસભા ચૂંટણી જીતવાની આશા રાખી રહી છે.પુલવામા જેવી ઘટનાઓ દરેક સમયે થતી રહી છે, પાકિસ્તાનને તેના માટે દોષિ ગણાવી શકાય નહી.

(12:44 pm IST)