Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

પાકિસ્તાનના લાહોરમાં આવેલો શાદમાન ચોક હવેથી ''ભગતસિંહ ચોક'' તરીકે ઓળખાશેઃ આ ચોકમાં વીર ભગતસિંહ સહિત ૩ ક્રાંતિકારીઓને ફાંસી અપાઇ હતી

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના લાહોરમાં ૨૩ માર્ચ ૧૯૩૧ના દિવસે શહીદ ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. લાહોરમાં ફાંસીની જગ્યા તરીકે ઓળખાતા શાદમાન ચોકનું નામ બદલી ભગતસિંહ ચોક રાખવાનું પ્રશાસને નક્કી કર્યુ છે તથા વીર ભગતસિંહને ક્રાંતિકારી નેતા તરીકે માન્યતા આપી છે. જે બાબત ફાંસીની ઘટનાના ૮૮ વર્ષ પછી સાકાર થતા ભગતસિંહ મેમોરીઅલ ફાઉન્ડેશનના ચેરમેન ઇમ્તિીયાઝ રાશિદ કુરેશીએ આવકારેલ છે.

સાથોસાથ તેમણે ભગતસિંહને નિશાન-એ-ખૈદરનો ખિતાબ આપવાની માંગણી કરી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:53 pm IST)