Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-NCP વચ્ચે 26-22ની ફોર્મ્યૂલા:બંને પાર્ટીઓ પ્રચાર અભિયાન એક સાથે ચલાવશ

બંને પાર્ટી પોતાના કોટામાંથી સહયોગીને સીટ આપશે :ઘોષણાપત્ર અલગ અલગ જાહેર કરશે

મુંબઈ :લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે સીટોની વહેંચણી પર સમજૂતી થઇ છે સૂત્રો મુજબ કોંગ્રેસ અને એનસીપી વચ્ચે 26-22 ફોર્મ્યૂલા પર સહમતી બની શકે છે.


બંને પાર્ટીઓ પોત-પોતાના કોટામાંથી સહયોગીઓને 2-2 સીટો આપશે. 2 સીટ સ્વાભિમાની સેતકરી સંગઠન, 1 સીટ બહુજન વિકાસ અઘાડી અને 1 સીટ નિર્દલીય ધારાસભ્ય રવિ રાણા માટે છોડવામાં આવી છે.

એનસીપીએ પોતાના કોટામાંથી હટકનંગલે સીટ સ્વાભિમાની શેતકરી સંગઠન (એસએસએસ)ના રાજુ શેઠ્ઠીને આપી છે, જ્યારે કોંગ્રેસે પાલઘર સીટ બહુજન વિકાસ આઘાડી માટે છોડશે
(8:14 pm IST)