Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

પાકિસ્‍તાનસ્થિત આંતકવાદી ગેંગ ડી-કંપનીએ નશીલા પદાર્થોની તસ્‍કરી માટે અનેક દેશોમાં પગપેસારો કરી લીધો

વોશિંગ્ટન: જોર્જ મૈસન યુનિવર્સિટીચના સેચાર સ્‍કૂલ ઓફ પોલિસીમાં પ્રોફેસર ડો. લુઇસ શેલી અમેરિકન સાંસદોને જણાવ્યું હતું કે, દાઉદ ઇબ્રાહીમની ડી-ગેંગે હવે નશીલા પદાર્થોની તસ્‍કરી માટે અનેક દેશોમાં પગપેસારો કરી લેતા ભયનો માહોલ ફેલાયો છે.શેલીએ દાવો કર્યો કે ડી-કંપનીની જાળ ઘણા દેશોમાં ફેલાયેલી છે

તેમણે આતંકવાદ અને ગેરકાયદેસર નાણાકીય પોષણ પર સદની નાણાકીય સેવાઓ સંબંધી સમિતિ દ્વારા આયોજિત સુનાવણી દરમિયાન કહ્યું 'મેક્સિકોના નશીલા પદાર્થોના સંગઠનોની માફક ડી-કંપનીની જાળ વિભિન્ન દેશોમાં ફેલાયેલી છે. તે હથિયારો, નકલી ડીવીડીની તસ્કરી કરે છે અને હવાલા સંચાલકોની વ્યાપક વ્યવસ્થાના માધ્યમથી નાણકીય સેવાઓ પુરી પાડે છે. ડી-કંપનીનો મુખિયા ભારતમાં ભાગેડુ ગણાવેલો ડોન દાઉદ ઇબ્રાહિમ છે. અપરાધના મોટા ગુનાઓ અને મુંબઇ જેવા સ્થળો પર આતંકવાદી હુમલાના મામલે ભારતમાં વાંછિત દાઉદનો ડેરો હવે પાકિસ્તાનનું કરાંચી શહેર છે. અમેરિકા અને ભારતીય અધિકારીઓએ દાવો કર્યો છે. જો કે પાકિસ્તાની અધિકારી પોતાના  

દાઉદ વિરૂદ્ધ ભારતના અભિયાનને અમેરિકાએ 2003માં સ્વિકાર્યું. તે સમયે અમેરિકાના રાજકોષ વિભાગે દાઉદને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો જેના તાર અલ-કાયદા સાથે જોડાયેલા છે. સંયુક્ત રાષ્ટ્રે પણ તેના પર પ્રતિબંધ લગાવી દીધ છે. પાકિસ્તાન દ્વારા દાઉદને શરણ આપવાની ભારતની વાતની પુષ્ટિ કરતાં તે સમયે રાજકોષ વિભાગે કહ્યું હતું કે દાઉદ કરાંચી છે અને તેની પાસે પાકિસ્તાની પાસપોર્ટ છે. 12 માર્ચ 1993માં થયેલા શૃંખલાબદ્ધ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 257 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 700થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. દરમિયાન કરોડો રૂપિયાની સંપત્તિ નષ્ટ થઇ ગઇ હતી. દાઉદ ઇબ્રાહીમ 1993ના બોમ્બ બ્લાસ્ટ મામલે ભારતમાં વાંછિત છે. અમેરિકી ટ્રેજરી વિભાગે દાઉદને 2013માં વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો

(5:08 pm IST)