Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

પહેલી માર્ચથી દેશમાં 60 વર્ષથી વધુ ઉંમરનાં લોકોને અપાશે કોરોના રસી :વૃદ્ધ અને બિમારને પ્રાથમિકતા 10 હજાર સરકારી કેન્દ્રો અને 20 હજારથી વધુ ખાનગી હોસ્પિટલો આ કામગીરીમાં ગોઠવી દેવાશે

કોરોના રસીકરણ અંગે ભારત સરકારે મોટી જાહેરાત કરી છે. આ રસી 1 માર્ચથી દેશમાં 60 વર્ષથી વધુ ઉંમરનાં લોકોને આપવામાં આવશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે બુધવારે કેબિનેટનાં નિર્ણયો વિશે માહિતી આપતી વખતે આ જાહેરાત કરી છે

પ્રકાશ જાવડેકરે વધુમાં જણાવ્યું હતું કે, દેશનાં વૃદ્ધ અને બિમાર લોકોને કોરોના વાયરસની રસી પૂરી પાડવા 10 હજાર સરકારી કેન્દ્રો અને 20 હજારથી વધુ ખાનગી હોસ્પિટલો આ કામગીરીમાં ગોઠવી દેવામાં આવશે. જે લોકો 10 હજાર સરકારી કેન્દ્રોની મુલાકાત લઈને રસી લેશે તેઓને મફત રસી મળશે અને જેઓ ખાનગી હોસ્પિટલમાં પ્રવેશ મેળવશે તેમને ફી ભરવાની રહેશે. આરોગ્ય વિભાગ ફી અંગે 2-3 દિવસમાં જાહેરાત કરશે.

   અત્રે ઉલેલ્ખનીય છે કે મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ સહિત ઘણા રાજ્યોમાં ફરીથી કોરોના વાયરસનો પ્રકોપ વધવા માંડ્યો છે. સતત વધી રહેલા કોરોનો સંક્રમિતોની સંખ્યાએ સરાકરોની ચિંતાને વધારી દીધી છે. સાવચેતીનાં પગલારૂપે મહારાષ્ટ્ર અને કેરળમાં અનેક કડક પગલા લેવામાં આવ્યા છે. દરમિયાન, રસીકરણ કાર્ય પણ દેશમાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે, હમણાં કોવિડ-19 રસીનો પ્રથમ અને બીજો ડોઝ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઈન કર્મચારીઓને આપવામાં આવી રહ્યા છે. વૃદ્ધો અને બિમાર લોકોને રસી આપવાની ઝુંબેશ દેશભરમાં 1 માર્ચથી શરૂ થશે, આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેનાથી કોરોના વાયરસનાં કેસોમાં વધુ ઘટાડો થશે. દેશભરમાં અત્યાર સુધીમાં 1.14 કરોડ લોકોને રસી આપવામાં આવી છે.

(9:47 pm IST)