Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

પાક-બાંગ્લાદેશના ગેરકાયદે ઘુસણખોરોને હાંકી કાઢોઃ સીએએના સમર્થનમાં રાજ ઠાકરે ખુલીને બહાર આવ્યા

નવી દિલ્હી,તા.૨૪: નાગરિકતા સંશોધન કાનુન સામે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાજ ઠાકરએ તેને સમર્થનની જાહેરાત કરી છે. પોતાના સ્પષ્ટ વકતવ્ય માટે જાણીતા રાજ ઠાકરેએ કહ્યું કે, ભગવો મારા ડીએનએમાં છે. તેમણે  કહ્યું કે પાકિસ્તાન અને બાંગ્લાદેશના ઘુસણખોરોને ભારતમાંથી બહાર ફેંકી દેવા જોઇએ.

રાજઠાકરેએ આ બયાન બાળા સાહેબ ઠાકરેની જન્મજયંતિ પર આપ્યું હતું. ઉલ્લખનીય છે કે મનસે એ પોતાના પક્ષનો રંગ ભગવો કરી નાખ્યો છે. તે બાબતે રાજ ઠાકરેએ કહ્યું કે ભગવો ઝંડો ૨૦૦૬થી મારા દિલમાં છે, ભગવો રંગ મારા ડીએનએ માં છે. હું એક મરાઠી છું અને હિંદુ પણ છું.

મુસ્લિમ ધર્મગુરૂએ પર નિશાન તાકતા રાજ ઠાકરેએ કહ્યું કે આપણા દેશમાં કેટલાક મુસ્લિમ ધર્મગુરૂઓ બીજા દેશમાં જાય છે, તે કયાં જાય છે. તે કોઇને ખબર નથી હોતી. એટલે  સુધી કે પોલીસ પણ ત્યાં નથી જઇ શકતી. તેમણે કહ્યું કે અમે ૯ ફેબ્રુઆરીથી ગેરકાયદે ઘૂસણખોરો વિરૂધ્ધ મોટા અભિયાનની શરૂઆત કરશું. પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા ગેરકાયદે ઘૂસણખોરોને ભારતની બહાર ફેંકી દેવા માટે આ અભિયાન અમે શરૂ કરશું. સાથે જ તેમણે કહ્યું કે, 'હું કેટલાક મુદ્દાઓ અંગે ગૃહપ્રધાન અને મુખ્યપ્રધાનની મુલાકાત લઇશ.

(4:26 pm IST)