Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

ભાજપાને સતાથી બહાર રાખવા ઇચ્છતા હતા અલ્પસંખ્યક સમુદાયના લોકોઃ શરદ પવારની પ્રતિક્રિયા

રાકાંપા પ્રમુખ શરદ પવારએ કહ્યું કે અલ્પસંખ્યક સમુદાયોના પ્રતિનિધિઓએ કહ્યું હતુ કે જો એમની પાર્ટી શિવસેના સાથે હાથ મિલાવે છે તો એમને કોઇ આપતિ નહી થાય પણ ભાજપાને મહારાષ્ટ્રમાં સતાથી દૂર રાખવામાં આવે શિવસેના અને ભાજપાએ ગત વર્ષે ઓકટોબરમા વિધાનસભા ચૂંટણી મળીને લડયા હતા. પણ મુખ્યમંત્રીનુ પદના મુદા પર અસહમતીને લઇ બંને અલગ થયા. પછી શિવસેના, રાકાંપ અને કોંગ્રેસ ઘણા વિચાર વિમર્શ પછી રાજયમાં સરકાર બનાવી.

રાકાંપાની અલ્પસંખ્યક ઇકોઇ તરફથી આયોજીત એક કાર્યક્રમમાં પવારએ આ બારામાં ઉલ્લેખ કરતા કહ્યું કે રાજયમાં ત્રણ ચાર અઠવાડીયાથી શિવસેના ભાજપા દ્વારા સરકાર ગઠનની દિશામાં કોઇ પગલું ભરવામાં આવ્યું ન હતુ. અલ્પ સંખ્યકોએ આ કદમ (શિવસેનાનો સાથ લેવાનું) નુ સ્વાગત કર્યુ.

(12:01 am IST)