Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

અમદાવાદમાં પદ્માવત ફિલ્મનો ઉગ્ર વિરોધ :પીવીઆર સિનેમામાં પથ્થરમારો :એક્રોપોલિસ મોલમાં તોડફોડ :10 વાહનોમાં આગ લગાડાઇ :હિમાલયા મોલ પણ ઝપટે

-રોષે ભરાયેલા ટોળા દ્રારા પદ્માવત રિલીઝનો હિસંક વિરોધ શરૂ કરી ઠેરઠેર તોડફોડ અને વાહનોમાં આગચંપી કરી:રેસ્ટોરન્ટમાં ધસી જઇ, રેસ્ટોરન્ટ પણ બંધ કરવાની ફરજ પાડતા તનાવ

અમદાવાદ :પદ્માવત ફિલ્મના વિરોધમાં અમદાવાદમાં મોડી સાંજે કરણી સેના દ્વારા કેન્ડલ માર્ચ પછી બેકાબુ બનેલ બાઇકસવાર ટોળાએ 4 મોલને નિશાન બનાવ્યા હતા અને 30 વાહનોમાં તોડફોડ કરી હતી અને 15 વાહનને આગ ચાંપી હતી કેટલાય મોલમાં જબરો પથ્થરમારો કરાયો છે  અમદાવાદમાં PVR સિનેમા પર ફિલ્મ પદ્માવતનાં વિરોધમાં ટોળાએ પથ્થરમારો કર્યાના સમાચાર મળી રહ્યા છે.

થલતેજના એક્રોપોલિસ મોલમાં તોડફોડ કરાય છે. તો રોષે ભરાયેલા ટોળાએ  10 જેટલા વાહનોમાં આગ ચંપી કરી છે. રોષે ભરાયેલા ટોળાએ વાહનોમાં આગ ચંપી કરતા ફાયર બ્રીગેડ ઘટના સ્થળે દોડી આવ્યું છે.

ફિલ્મ પદ્માવતને લઈ વિરોઘે  હિંસક સ્વરૂપ. લીધું છે અમદાવાદમાં ફિલ્મ પદ્માવતનાં રિલીઝના વિરોધમાં ટોળાએ પથ્થરમારો અને આગચંપી કરી હિસંક વિરોધ નોંધાવવાની ઘટનાઓ સામે આવી રહી છે.જેમાં  PVR સિનેમા, એક્રોપોલિસ મોલ બાદ હવે હિમાલયા મોલ પર પણ આગચંપી કરવામાં આવી છે.

રોષે ભરાયેલા ટોળા દ્રારા પદ્માવત રિલીઝનો  હિસંક વિરોધ શરૂ કરી ઠેરઠેર તોડફોડ અને વાહનોમાં આગચંપી કરી હિંસક વિરોધ પ્રદર્શન કરાતા ભયનો માહોલ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. તો સાથે સાથે તોફાની ટોળાએ રેસ્ટોરન્ટમાં ધસી જઇ, રેસ્ટોરન્ટ પણ બંધ કરવાની ફરજ પાડતા તનાવ વધી જવા પામ્યો છે.

(8:55 am IST)