Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

શું પ્રિયંકા ચોપડા લઇ રહી છે છૂટાછેડા ? અભિનેત્રીએ સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી પતિની સરનેમ હટાવી

અત્યાર સુધી અભિનેત્રી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તેનુ નામ 'પ્રિયંકા ચોપરા જોનાસ' લખતી હતી

નવી દિલ્હી,તા.૨૩: આજકાલ બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને નિક જોનસને લઈને અહેવાલો પ્રસારિત થઈ રહ્યા છે. બોલિવૂડ એકટ્રેસ પ્રિયંકા ચોપરાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ફેન્સને ચોંકાવનારા સમાચાર આપ્યા છે. હાલમાં ચાહકોએ જોયું છે કે અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી તેના પતિની સરનેમ કાઢી નાખી છે. અત્યાર સુધી અભિનેત્રી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તેનું નામ 'પ્રિયંકા ચોપરા જોનાસ' લખતી હતી.

તાજેતરમાં ચાહકોએ નોટિસ કર્યું છે કે તેઓએ તેમના નામમાંથી જોનાસ શબ્દ દૂર કરી દીધો છે. હવે તેનું એકાઉન્ટ પહેલાની જેમ પ્રિયંકા ચોપરાના નામથી દેખાઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે અગાઉ પણ ઘણી અભિનેત્રીઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી પતિની સરનેમ હટાવીને છૂટાછેડાનો સંકેત આપ્યો છે. તો શું પ્રિયંકા ચોપરા એ પણ છૂટાછેડા લીધા પછી તેના પતિથી અલગ થવા જઈ રહી છે?

મલાઈકા અરોરા ખાને પણ તેના પતિ અરબાઝ ખાનથી છૂટાછેડા પહેલા તેના એકાઉન્ટમાંથી ખાન શબ્દ હટાવી દીધો હતો. તમને જણાવીએ કે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નને લઈને ઘણી વાતો સામે આવી છે. એવું જાણવા મળી રહ્યું છે કે અભિનેત્રીએ અમેરિકન નાગરિકતા મેળવવાના હેતુથી નિક સાથે લગ્ન કર્યા હતા.

જયાં સુધી બંનેના છૂટાછેડાને લઈને કોઈ સત્ત્।ાવાર જાહેરાતની વાત છે તો હજુ સુધી આ સંબંધ વિશે કોઈ સત્ત્।ાવાર જાહેરાત કરવામાં આવી નથી. અભિનેત્રીએ લગ્ન પછી તેનું ઇન્સ્ટા એકાઉન્ટ બદલીને પ્રિયંકા ચોપરા જોનાસ કરી દીધું હતું. શું બંને ખરેખર અલગ થઈ ગયા છે કે તે કંઈક બીજું છે? આ કિસ્સામાં ચાહકોએ પ્રિયંકાની પ્રતિક્રિયાની રાહ જોવી પડશે.

(9:51 am IST)