Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

ફડણવીશને સીએમના શપથ અપાવ્યા બાદ રાજ્યપાલ સાંજે દિલ્હી પહોંચ્યા :હવે સોમવારે મુંબઈ પાછા આવશે

રાષ્ટ્રપતિ ભવનમાં થનારી ગવર્નર્સ કોન્ફરન્સમાં ભાગ લેશે

 

મુંબઈ : મહારાષ્ટ્રમાં વહેલી સવારે રાજકીય ઘટના ક્રમમાં દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદનાં શપથ અપાવ્યા બાદ મહારાષ્ટ્રનાં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી શનિવારે સાંજે દિલ્હી પહોંચી ગયા હતા. તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં થનારી ગવર્નર્સ કોન્ફરન્સમાં ભાગ લેશે. હવે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સોમવારે મુંબઈ પાછા રવાના થશે.

(11:03 pm IST)