Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

અજીત પવારને એનસીપીના ધારાસભ્યદળનાં નેતા પદેથી હટાવાયા : દિલીપ પાટિલ નવા નેતા ચૂંટાયા

શરદ પવારની બેઠકમાં પાર્ટીનાં કુલ 54 ધારાસભ્યોમાંથી 42 ધારાસભ્યો પહોંચ્યા

મુંબઈ : મહારાષ્ટ્રની રાજનીતિમાં બદલાઈ રહેલા સમીકરણો વચ્ચે સાંજે એનસીપી પ્રમુખ શરદ પવારે મુંબઇમાં વાઇબી સેન્ટર ખાતે મહારાષ્ટ્ર એનસીપીના ધારાસભ્યોની બેઠક બોલાવી હતી . એનસીપી પ્રમુખ શરદ પવારે બોલાવેલી ધારાસભ્યોની બેઠકમાં અજીત પવારને ધારાસભ્યદળનાં નેતા પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. અજીત પવારની જગ્યાએ હવે દિલીપ પાટિલને ધારાસભ્ય દળનાં નવા નેતા ચૂંટવામાં આવ્યા છે.

   આ બેઠકમાં પાર્ટીનાં કુલ 54 ધારાસભ્યોમાંથી 42 ધારાસભ્યો પહોંચ્યા હતા. શરદ પવારની બેઠકમાં હવે વધુ એક ધારાસભ્ય પહોંચી ગયા છે. તાસગાવનાં ધારાસભ્ય સુમન તાઈ પાટિલ પણ બેઠકમાં પહોંચી ગયા છે. તેઓ દિવંગત આર.આર. પાટિલનાં પત્ની છે.

(8:56 pm IST)