Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

મહારાષ્ટ્રએ ફરી સાબિત કર્યુ

રાજકારણમાં ગમે તે થઇ શકેઃ કોઇ કાયમી દુશ્મન નથી

મુંબઈ, તા.૨૩: મહારાષ્ટ્રમાં રાતોરાત રાજકારણની તસવીર બદલાઈ ગઈ છે. રાજકીય પંડીતોને ચોંકાવીને એનસીપી સાથે હાથ મિલાવી ભાજપે સરકાર બનાવી લીધી. ફડણવીસ ફરી સીએમ બની ગયા. જોકે, દેશમાં આવું પહેલીવાર નથી થયું. ભૂતકાળમાં પણ દ્યણીવાર અચાનક રાજકારણની આખીય એવી રીતે ગેમ બદલાઈ છે કે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે.

૧૯૯૮માં એનડીએના ગઠબંધનવાળી વાજપેયીની આગેવાનીની સરકાર ૧૩ મહિના ચાલી હતી. ખ્ત્ખ્ઝ્રપ્ધ્ પ્રમુખ જયલલિતા સતત સરકાર પાસેથી કંઈક માગી રહ્યાં હતાં. તે વખતે તમિલનાડુમાં ડીએમકેની સરકાર હતી, અને એમ કરુણાનીધિ સીએમ હતા. જયલલિતાની માગ હતી કે તમિલનાડુની સરકારને બરખાસ્ત કરવામાં આવે. પરંતુ પોતાની ડિમાન્ય પૂરી ન થતાં જયલલિતાએ એનડીએને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું, અને ભાજપને અવિશ્વાસના પ્રસ્તાવનો સામનો કરવો પડ્યો.

૧૭ એપ્રિલ ૧૯૯૯માં લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થઈ, પરંતુ તે પહેલા બીએસપીના નેતા માાયાવતીએ વોટિંગમાં હિસ્સો ન લેવા નિર્ણય કર્યો. ત્યારબાદ થોડીવારમાં જ પોતાનો નિર્ણય બદલી લીધો અને એનડીએના વિરોધમાં વોટ કર્યો. ત્યારે આખા ગૃહની નજર કોરાપુટના સાંસદ ગીરધર ગોમાંગ પર હતી. બે મહિના પહેલા જ તેઓ ઓડિશાના સીએમ બન્યા હાત. છ મહિનામાં તેમને ઓડિશામાં ચૂંટાવાનું હતું, પરંતુ તેમણે સાંસદ તરીકે રાજીનામું નહોતું આપ્યું. ગોમાંગે ભાજપની સરકારના વિશ્વાસ પ્રસ્તાવની વિરુદ્ઘમાં વોટ આપ્યો, અને ભાજપના પક્ષમાં ૨૬૯ અને વિરોધમાં ૨૭૦ વોટ પડ્યા અને વાજપેયી સરકારનું પતન થયું.

૧૯૯૮માં યુપીના રાજકારણમાં આવી જ એક દ્યટના જોવા મળી હતી જયારે જગદંબિકા પાલ એક જ દિવસ માટે સીએમ બન્યા હતા. બીજા જ દિવસે તેમને પોતાની ખુરશી છોડવી પડી હતી. થયું એવું હતું કે ૨૧-૨૨ ફેબ્રુઆરી ૧૯૯૮ની રાત્રે યુપીના ગવર્નર રોમેશ ભંડારીએ રાજયમાં રાષ્ટ્રપતિ શાસન લગાડવાની ભલામણ કરી. જોકે, કેન્દ્ર સરકારે તેને ફગાવી દીધી. ભાજપના સીએમ કલ્યાણ સિંહે બહારના ધારાસભ્યો સાથે સરકારનું ગઠન કર્યું, પરંતુ વિપક્ષે તેનો વિરોધ કર્યો. ભંડારીએ વાંધો વ્યકત કર્યો, અને સરકાર બરખાસ્ત કરવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ તેમણે જગદંબિકા પાલને આપ્યો, પરંતુ તેમની સરકાર એક દિવસ પણ ન ટકી શકી. પૂર્વ પીએમ વાજપેયી આ નિર્ણય વિરુદ્ઘ ધરણા પર બેઠા હતા, અને કલ્યાણસિંહના સમર્થક કોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટે ગવર્નરના નિર્ણય પર રોક લગાવી, અને કલ્યાણસિંહ ફરી સીએમ બન્યા.

૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં મોટી હાર બાદ નીતિશ કુમારે નૈતિકતાનો હવાલો આપી સીએમ પદ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ મહાદલિત સમુદાયના જીતનરા માંઝીને તેમણે પોતાના ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યા હતા. જોકે, નીતિશની આ દરિયાદિલી લાંબી ન ચાલી. માંઝી સાથે તેમને મતભેદ થવા લાગ્યા. માંઝીને રાજીનામું આપવાનો આદેશ કરાયો, પરંતુ તેમણે ના પાડી દીધી. આખરે તેમને જબરજસ્તી ખુરશી પરથી હટાવીને નીતિશ ફરી સીએમ બની ગયા.

૨૦૧૮ના કર્ણાટક વિધાનસભાના પરિણામ બાદ ભાજપ ૧૦૪ ધારાસભ્યો સાથે સૌથી મોટો પક્ષ બનીને ઉભર્યો હતો. યેદિયુરપ્પાએ ૧૭ મે ૨૦૧૮ના રોજ સીએમ પદની શપથ લીધી, અને દાવો કર્યો હતો કે તેમની પાસે બહુમતનો આંકડો છે. જોકે, ૧૯ મેના રોજ બહુમતીનું પરિક્ષણ થાય તે પહેલા જ સ્થિતિનો તકાજો પામી યેદિયુરપ્પાએ રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ કોંગ્રેસ અને જેડીએસની સરકાર રચાઈ, અને કુમારસ્વામીના નેતૃત્વમાં ૧૪ મહિના જ ચાલી શકી અને આખરે યેદિયુરપ્પા ફરી સીએમ બન્યા અને હાલ પણ સત્તા પર છે.

(3:38 pm IST)