Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

સાંજે બિહારમાં પૂ.મોરારીબાપુના વ્યાસાસને શ્રીરામકથાનો પ્રારંભ

રાજકોટ તા. ર૩ : સાંજે પૂ.મોરારીબાપુના વ્યાસાસને બિહારના બકસર ખાતે શ્રીરામકથાનો પ્રારંભ થશે.

બિહારના બકસર ખાતે બજાર સમિતિ, નયાબજાર માર્ગ, ગુમતી રેલ્વે ક્રોસિંગ પાસે આજે તા.ર૩ને શનીવારે સાંજે ૪ વાગ્યે શ્રી રામકથાનો પ્રારંભ થશે અને પૂ.મોરારીબાપુ પ્રથમ દિવસે સાંજના ૭ વાગ્યા સુધી શ્રીરામકથાનુ રસપાન કરાવશે.

જયારે તા.ર૪ નવેમ્બરથી તા.૧ ડિસેમ્બર સુધી સવારે ૯-૩૦ થી ૧-૩૦ સુધી પૂ.મોરારીબાપુ શ્રીરામકથાનુ રસપાન કરાવશે.

શ્રી રામકથાનુ આસ્થા ચેનલ ઉપર જીવંત પ્રસારણ થશે.

(11:46 am IST)