Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

રાજસ્થાનના નાગોરમાં મધરાત્રે બે બસ વચ્ચે અકસ્માત :11 મુસાફરોના કરૂણમોત : છ ગંભીર

બંને બસોના આગળનાે હિસ્સો પૂરેપૂરો તૂટી ફૂટી ગયો

જયપુર : રાજસ્થાનના નાગોર વિસ્તારમાં મધરાત્રે સાડા ત્રણની આસપાસ બે બસો ટકરાતાં 11 મુસાફરોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે જયારે બીજા કેટલાકને ઇજા થઇ હતી.

 મળતા રિપોર્ટ મુજબ એક મિનિ બસની સામે આખલો આવી જતાં એના ડ્રાઇવરે બસને સાઇડ પર લેવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે સામેથી આવતી મિનિબસ અથડાઇ પડી હતી.

  ઇજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલમાં દાખલકરાયા હતા જ્યાં છ વ્યક્તિની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે. ગંભીર ઉતારુઓને જયપુરની મોટી હૉસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા. બંને બસોના આગળનાે હિસ્સો પૂરેપૂરો તૂટીફૂટી ગયો હતો.

 ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઇ હતી અને ઇજાગ્રસ્તોની વહારે લાગી હતી. પોલીસે કહ્યું હતું કે મોડી રાતનો સમય હોવાથી બંને બસની સ્પીડ વધુ હતી અને આખલો વચ્ચે આવી જતાં એક બસના ડ્રાઇવરે બસ પરથી કાબુ ગુમાવ્યો હતો.

(11:19 am IST)