Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

કોંગ્રેસ પાર્ટી ઇચ્છે છે કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બને :રાજનીતિ બંધ થવી જોઈએ : સચિન પાયલોટ

તમામ લોકોએસુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરવું જોઇએ

જયપુર : રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા સચિન પાયલટે કહ્યું કે કોંગ્રેસ ઇચ્છે છે કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બને. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયને તમામે સ્વીકારવો જોઇએ અને હવે આનાપર રાજનીતિ બંધ થવી જોઇએ.

   સચિન પાયલટે કહ્યું હતું કે, મને લાગે છે કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય સૌને સ્વીકાર્ય છે. તમામ લોકોએ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરવું જોઇએ. દુનિયા આગળ નીકળી ચૂકી છે, હવે આના પર મામલે રાજનીતિ બંધ થવી જોઇએ. તેમણે કહ્યું કે, જે નિર્ણય આવ્યો છે સારો છે અને કોંગ્રેસ પાર્ટી ઇચ્છે છે કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બને.

(8:54 am IST)