Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

હવે ફ્રોડ કરીને ભાગવું મુશ્‍કેલ : બેંકોને મળ્‍યું મોટું ‘શષા'

બેંકોના સીઇઓને અપાયો પાવરફુલ અધિકાર

નવી દિલ્‍હી તા. ૨૩ : કેન્‍દ્ર સરકારે જાણી-જોઈને લોન ન ચૂકવનારાઓ અને ફ્રોડ કરી દેશ છોડીને ભાગી જનારાઓ પર લગામ કસવા માટે મોટું પગલું ઉઠાવ્‍યું છે. સરકારે પબ્‍લિક સેક્‍ટર બેંકો (PSBs)ના CEOsને શકમંદો સામે લુક આઉટ સર્કુલર જારી કરવા માટે અનુરોધ કરવાનો અધિકાર આપી દીધો છે. આ પગલું સરકારે એવા સમયે ઉઠાવ્‍યું છે, જયારે દેશમાંથી વિજય માલ્‍યા, નીરવ મોદી અને મેહુલ ચોક્‍સી જેવા બિઝનેસમેન બેંકોના રૂપિયા લઈને ભાગી ચૂક્‍યા છે.

ગૃહ મંત્રાલયે તાજેતરમાં જ એક સર્ક્‍યુલરમાં ફેરફાર કરતા સરકારી બેંકોના CEOsને એ અધિકારીઓની યાદીમાં સામેલ કરી લીધા છે, જે મંત્રાલયમાંથી કોઈની સામે લુક આઉટ સર્ક્‍યુલર જારી કરવા માટે અનુરોધ કરી શકે છે. પબ્‍લિક સેક્‍ટર બેકોને મજબૂતી આપવા માટે મંત્રાલયે આ પગલું એક ઈન્‍ટર-મિનિસ્‍ટ્રિયલ પેનલ દ્વારા અપાયેલા સૂચનો બાદ ઉઠાવ્‍યું છે.

મંત્રાલયના આ પગલાં વિશે પૂછવામાં આવતા, નાણાંકીય સેવાઓના સચિવ રાજીવ કુમારે કહ્યું કે, સરકારે આ નિર્ણય બેંકિંગ સેક્‍ટરને સ્‍વચ્‍છ બનાવવાના અભિયાનને આગળ વધારવા અંતર્ગત લીધું છે. પીએનબી ફ્રોડ સામે આવ્‍યા બાદ અને તેની સાથે જોડાયેલા નીરવ મોદી તેમજ મેહુલ ચોક્‍સી દેશ છોડીને ભાગી ગયા બાદ નાણાં મંત્રાલયએ સરકારી બેંકોને એ બધા લોન લેનારાઓની પાસપોર્ટ ડીટેલ્‍સ જમા કરાવવા કહ્યું, જેમણે ૫૦ કરોડ રૂપિયાથી વધુની લોન લીધી છે.

કુમારે જણાવ્‍યું કે, ‘માત્ર પાસપોર્ટ ડીટેલ્‍સ હોવાથી બેંકિંગ સેક્‍ટરને સશક્‍ત ન બનાવી શકાય, પરંતુ તેના માટે સરકારી બેકોના CEOsને જાણી-જોઈને લોન ન ભરનારા અને ફ્રોડ કરનારાઓ સામે લુક આઉટ સર્ક્‍યુલર જારી કરવા માટે અનુરોધ કરવાનો અધિકાર આપવાનું પણ જરૂરી હતું, જેથી કોઈપણ શંકાસ્‍પદને દેશમાંથી ભાગતો રોકી શકાય.' તેમણે કહ્યું કે, તેનાથી જાણી-જોઈને લોન ન ચૂકવનારાઓના રસ્‍તામાં મોટી અડચણ આવશે, સાથે જ લોન આપનારા અને લેનારા વચ્‍ચે સંબંધોમાં પણ આધારભૂત પરિવર્તન થશે.

 

(11:57 am IST)