Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

શિયાળામાં સ્વાઇન ફલૂની જેમ ઝડપથી ફેલાય શકે છે કોરોના

સ્વાઇન ફલૂ શિયાળામાં ઝડપથી ફેલાય છે. આ રીતે કોવિડ પણ ફેલાશે. આ વાતના પણ પૂરાવા છે કે વાયુ પ્રદુષણ પણ કોવિડ-૧૯ના પ્રસારમાં ઘણી હદ સુધી મદદ કરશે

નવી દિલ્હી,તા.૨૩: છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્ર, યૂપી સહિત દેશભરમાં કોરોના વાયરસના કેસમાં ઝડપથી દ્યટાડો થઈ રહ્યો છે. પરિણામ તે છે કે દેશમાં એકિટવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે અને જનજીવન સામાન્ય થતું જોવા મળી રહ્યું છે. પરંતુ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ લોકોને સાવધાન કર્યા છે અને માસ્ક તથા બે ગડની દૂરી જેવી સાવચેતી હજુ પણ રાખવાનું કહ્યું છે. તો એમ્ડના ડાયરેકટર ડો. રણદીપ ગુલેરિયા પ્રમાણે આ રાહત વધુ દિવસ સુધી ટકશે નહીં.

ડો. ગુલેરિયાએ કહ્યુ, સ્વાઇન ફ્લૂ શિયાળામાં ઝડપથી ફેલાય છે. આ રીતે કોવિડ પણ ફેલાશે. આ વાતના પણ પૂરાવા છે કે વાયુ પ્રદુષણ પણ કોવિડ-૧૯ના પ્રસારમાં ઘણી હદ સુધી મદદ કરશે. તેના પર ઇટાલી અને ચીનમાં થોડા મહિના પહેલા અભ્યાસ કરવામાં આવ્યો છે.

બીજી તરફ ડો. રણદીપ ગુલેરિયાએ આઈસીએમઆરના તે દાવા પર પણ પ્રતિક્રિયા આપી જેમાં કહેવામાં આવ્યું છે કે પ્લાઝમા થેરાપીથી કોવિડથી થતાં મોતોમાં ઘટાડો થયો નથી. તેમણે કહ્યું- આ ઉતાવળ હશે. હજુ અમારે વધુ ડેટાની રાહ જોવી જોઈએ. આઈસીએમઆરના અભ્યાસમાં જે દર્દીઓ પર અભ્યાસ કરવામાં આવ્યો તેમાંથી મોટાભાગના પહેલાથી એન્ટીબોડી હતા. જો તમારામાં પહેલાથી એન્ટીબોડી છે તો બહારથી તેને આપવાથી કોઈ ખાસ લાભ થતો નથી.

તેમણે કહ્યું, પ્લાઝમા કોઈ મેજિક બુલેટ નથી. અમારે તેનો ત્યાં ઉપયોગ કરવાનો છે જયાં તેની ખુબ જરૂર છે. તે દાવો કરવો ખોટો છે કે તે બધા માટે લાભકારી છે. કોવિડથી આપણે શીખ્યું છે કે સારવારમાં યોગ્ય સમયનું ખાસ મહત્વ છે.

મંગળવારે સાંજે રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં પીએમ મોદીએ લોકોને સાવધાની રાખવાની અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ કબીરદાસના દોહા 'પકી ખેતી દેખિકે, ગરબ કિયા કિસાન. અજહૂં ઝોલા બહુત હૈ, ઘર આવૈ તબ જાન..'ના ઉલ્લેખ કરતા સમજાવ્યું કે, પાકો પાક જોઈને કેટલાક લોકો અતિ આત્મવિશ્વાસથી ભરાય જાય છે કે હવે તો કામ થઈ ગયું. પરંતુ જયાં સુધી સંપૂર્ણ સફળતા ન મળી જાય, ત્યાં સુધી બેદરકારી ન કરવી જોઈએ. જયાં સુધી આ મહામારીની વેકિસન ન આવી જાય, આપણે આ લડાઈને નબળી પડવા દેવી નથી.

(10:19 am IST)