Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

જમ્‍મુ-કાશ્‍મીરના ૪.પ લાખ કર્મચારીઓને ૩૧ ઓકટોબરથી મળશે ૭ મા વેતન આયોગનો લાભ

        ગૃહમંત્રી અમિત શાહએ ૩૧ ઓકટોબરના જમ્‍મુ-કાશ્‍મીર રાજયના વિભાજન પછી જમ્‍મુ-કાશ્‍મીર અને લડાદના કેન્‍દ્રશાસિત પ્રદેશ બનવા પર ત્‍યાંના સરકારી કર્મચારીઓને  ૭મા વેતન આયોગના બધાજ ભથ્‍થા આપવા મંજુરી આપી છે.

        આથી હાલના જમ્‍મુ-કાશ્‍મીર રાજયના ૪.પ લાખ કર્મચારી લાભાન્‍વિત થશે અને સરકાર આના માટે વાર્ષિક રૂ. ૪૮૦૦ કરોડ ખર્ચ કરશે.

(12:00 am IST)