Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારને હોસ્પિટલમાંથી કરાયા ડિસ્ચાર્જ

મુંબઈ :બોલિવૂડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે 95 વર્ષીય દિલીપ કુમારને 5 સપ્ટેમ્બરે છાતીમાં દુઃખાવો થતા મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તપાસમાં તેને ન્યુમોનિયા હોવાનું સામે આવ્યુ હતુ. જો કે હવે દિલીપ કુમારની તબીયત સુધારા ઉપર છે. તેને નળી દ્વારા ખોરાક આપવામાં આવે છે.

(6:09 pm IST)