Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

કર્ણાટક રાજભવન પ્રજાને જોવા માટે ખૂલ્લુ મૂકાવતા વજુભાઇ વાળાઃ ૬ દિ'માં ૧૦ હજાર મુલાકાતીઓ

રાજકોટઃ કર્ણાટકના રાજયપાલ શ્રી વજુભાઇ વાળાએ બેગ્લોર ખાતેનું વિશાળ રમણીય રાજભવન જાહેર જનતાને નિહાળવા તા.૧૭ થી ૩૧ ઓગસ્ટ સુધી ખુલ્લુ મુકાવ્યું છે દરરોજ મુલાકાતીઓ ઉમટી રહ્યા છ.ે મુલાકાતી રાજભવન કાર્યાલય બગીઓ સહિત વિવિધ વિભાગો નિહાળી શકે અને ફોટો લઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છ.ે અત્યાર સુધીમાં ૬ દિવસમાં ૧૦ હજારથી વધુ મુલાકાતીઓ મુલાકાત લઇ ચુકયા છે રાજયપાલશ્રીની સૂચનાથી તેમના અંગત સચિવ તેજસ ભટ્ટી મુલાકાતીઓ માટેની વ્યવસ્થા અંગે માર્ગદર્શન આપી રહ્યા છે.

(4:00 pm IST)