Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

શનિવારથી મેઘાલયના બે દિવસના પ્રવાસે જશે ગૃહપ્રધાન અમિતભાઇ શાહ

સાથે કેન્દ્રીય પ્રધાનો જીતેન્દ્રસિંહ અને જીકિશન રેડ્ડી પણ રહેશે

નવી દિલ્હી,તા. ૨૩ : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઇ શાહ શનિવારે મેઘાલય જવા રવાના થશે. તેમનો આ પ્રવાસ બે દિવસનો છે. આ પ્રવાસ દરમ્યાન કેન્દ્રીય પ્રધાનો જીતેન્દ્રસિંહ અને જી કિશન રેડ્ડી પણ તેમની સાથે રહેશે.

ખરેખર તો આ પ્રવાસ આ મહિનાની ૧૭ તારીખે થવાનો હતો. પણ કોરોનાના કારણે તેને મુલતવી રખાયો હતો. ત્યાં તેઓ નોર્થ ઇસ્ટ એસ એપ્લીકેશનના હેડ કવાર્ટરમાં બેઠક કરી શકે છે. સાથે જ કેટલીક પરિયોજનાઓનું ઉદ્ઘાટન પણ કરશે.

(2:54 pm IST)