Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

ડગલે ને પગલે લોભ-લાલચ તમને પ્રેરી શકે છેઃ નરેન્‍દ્રભાઇ

રાજયસભાના નવા સાંસદો સાથે નરેન્‍દ્રભાઇએ એક કલાક ગાળ્‍યો

રાજકોટ એરપોર્ટ ઉપર દિલ્‍હીથી આવી પહોંચેલા રાજકોટના રાજયસભાના સાંસદ શ્રી અભયભાઇ ભારદ્વાજે લાગણીસભર સ્‍વરે કહ્યું હતું કે ગુજરાતની જનતાનો હું ઋણી છું. વડાપ્રધાનશ્રીએ ૧ કલાકનો સમય અમારી સાથે ગાળ્‍યો હતો. શ્રી નરેન્‍દ્રભાઈએ અમને જણાવ્‍યું કે ડગલે ને પગલે લોભ લાલચ તમને પ્રેરી શકે છે. તમારું ડગલું નબળું ન પડે તેનું ધ્‍યાન રાખજો. જીભનો સંયમ જાળવવા સાંસદોને સૂચન કર્યું હતું. અનેક નવા મિત્રો બનવા આવશે તેનાથી જાગૃત રહેવા પણ વડાપ્રધાનશ્રીએ જણાવ્‍યું હતું. અભયભાઈએ કહ્યું કે એક રાજાને અમે મળ્‍યા અને દેશની ઉન્નતિની વાતો રાજાએ અમને કરી, એટલું જ નહીં, સમાજ જીવનને ઉપયોગી થતા શિખવ્‍યું...

(5:38 pm IST)