Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

કેન્દ્રીય ગૃહમંત્રાલયએ આરજેડી પ્રમુખ લાલૂ યાદવ, બીજેપી સાંસદ રાજીવ પ્રતાપ રૂડી, મંત્રી સુરેશ રાણાનું સીઆરપીએફ હટાવ્યું, ચિરાગ પાસવાનની સુરક્ષા પણ ઘટી

         કેન્દ્રીય ગૃહમંત્રાલયએ  પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવ, ઉતર પ્રદેશ સરકારના મંત્રી સુરેશ રાણા અને બીજેપી સાંસદ રાજીવ પ્રતાપ રૂડીનું સીઆરપીએફ કવર હટાવ્યું છે.

         આ ઉપરાંત બિહારના જમુઇથી એલજેપીના સાંસદ ચિરાગ પાસવાનની સુરક્ષામાં પણ ઘટાડો કર્યો છે. અને ઘટાડીને વાય શ્રેણીનુ કરી દેવામા આવેલ છે.  પપ્પુ યાદવની સુરક્ષાથી પણ સીઆરપીએફ કવર હટાવવામા આવ્યું છે.

(11:56 pm IST)