Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

સુપર રિચને એડવાન્સ ટેક્ષ પર ભરવું પડશે વ્યાજઃ જવાબદારી વધવાની શકયતા

સુપર રિચ કરદાતાને ૧પ જૂન સુધીના ચુકવવાના એડવાન્સ ટેક્ષના હપ્તા પર વ્યાજ દેવું પડશે : પ કરોડથી વધુ આવક ધરાવનાર પર લોંગ ટર્મ કેપીટલ ગેઇમ્સ ટેક્ષ ૧ર.પ ટકાથી વધી ૧૪.રપ% ટૂંકા ગાળાનો ૧૭.૯ ટકાથી વધીને ર૧.૪%

નવી દિલ્હી તા. ર૩ :.. બજેટના કારણે સુપર રિચ લોકોને બમણો ફટકો પડી શકે તેમ છે. તેમણે ૧પ જુન સુધીમાં જે એડવાન્સ ટેકસ ઇન્સ્ટોલમેન્ટમાં ચુકવવાપાત્ર હતું તેના પર હવે વ્યાજ ભરવું પડશે અને તેનાથી તેમની જવાબદારી વધશે. બે કરોડથી વધારે આવક ધરાવનારા પર ઉંચો સરચાર્જ લાદવામાં આવ્યો છે. પાંચમી જુલાઇના બજેટમાં સરચાર્જ લાદવાની જાહેરાત કરવામાં આવી હતી.

સરચાર્જ નાણાકીય વર્ષના પ્રારંભ પહેલી એપ્રિલથી અમલી બનશે. વધારાની જવાબદારીનું કારણ સરચાર્જના લીધે છે અને તેના માટે કોઇ ખાસ માફી મળવાની નથી. જો કે, સરકારી અધિકારીઓએ તેની અસરને હળવી જણાવતા કહયું કે વ્યાજ ફકત ૧પ જૂન પછી ચુકવવાનો આવશે અને આ રકમ પણ ખાસ નહીં હોય. આ મુદો ઉદભવવાનું કારણ ચૂંટણીના વર્ષમાં જૂલાઇમાં રજૂ થયેલું પુરેપૂ રું બજેટ છે. કર નિષ્ણાતોનું કહેવું છે કે સરકારે માફી આપવી જોઇએ અને કરદાતાને તેના માટે દોષિત ઠેરવી ન શકાય. વરિષ્ઠ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દિલીપ લાખાણીએ જણાવ્યું હતું કે, 'વ્યકિતઓ આવકવેરાની જોગવાઇ સેકશન ર૩૪-સી હેઠળ વ્યાજની ચૂકવણીમાં નાદારી ન નોંધાવે તે દબાણ વધશે. સરકારે વ્યાજ માફ કરવા યોગ્ય સુધારો કરવો જોઇએ, તે ત્રણ ટકા છે,' એમ તેમણે જણાવ્યું હતું. અશોક મહેશ્વરી એન્ડ એસોસીયેટસ લીમીટેડના પાર્ટનર અમિત મહેશ્વરીએ જણાવ્યું હતું કે, 'આ પ્રકારની વિસંગતતાના લીધે કરદાતાઓને બિનજરૂરી રીતે દંડ કરવામાં આવે તે અયોગ્ય છે, જેમની કોઇ ભુલ જ નથી. સરકારે અહીં વ્યાજની ચૂકવણી ન થાય તો તે અંગે જરૂરી સુધારા સાથે આવવું જોઇએ. સરકારે આવકવેરના ટોચના સ્લેબમાં આવનારા પર આવકવેરાનો દર ૧પ થી વધારી રપ ટકા કર્યો છે અને તેમાં પણ સરચાર્જ લાદવાનો પ્રસ્તાવ છે.'

(11:27 am IST)