Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

સરકારને ઘેરવા વ્યૂહરચના :સોનિયા ગાંધીએ રણનીતિ ઘડવા વિપક્ષી નેતાઓની બોલાવી બેઠક

બિલમાં સુધારા અંગે થશે ચર્ચા : રાજ્યસભામાં 16 અને લોકસભામાં 10 બિલ પેન્ડિંગ

નવી દિલ્હી :કોંગ્રેસના ચેરપર્સન સોનિયા ગાંધીએ વિપક્ષી દળના નેતાઓની બેઠક બોલાવી છે. જેમા સંસદના સત્ર દરમ્યાન સરકારને ઘેરવા માટે રણનીતિ ઘડવામાં આવશે. આ બેઠકમાં વિપક્ષના તમામ નેતાઓ હાજર રહેશે.

  સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વિપક્ષ કેટલાક બિલનો વિરોધ કરી રહ્યુ છે. જેથી આ બેઠકમાં બિલમાં સુધારા અંગે પણ ચર્ચા કરવામાં આવશે. બીજી તરફ રાજ્યસભામાં 16 અને લોકસભામાં 10 બિલ પાસ કરાવવા પેન્ડિંગ પડ્યા છે. જેથી સરકાર આ તમામ બિલને પાસ કરાવવા તૈયારી કરી રહ્યા છે. ત્યારે કેટલાક બિલનો વિરોધ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

(10:12 am IST)