Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

અખિલેશ યાદવ પાસેથી પરત લેવાશે 'બ્લેક કેટ' સુરક્ષા!

વીઆઇપી લોકોની સુરક્ષા પર ગૃહ મંત્રાલય તરફથી લાંબી સમીક્ષાનિર્ણંય લેવાયા હેવાલ

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની Z પ્લસ સુરક્ષા પરત ખેંચવાનું કેન્દ્ર સરકારે મન બનાવી લીધુ છું. આગામી દિવસોમાં બ્લેક કેટ કમાન્ડો હવે યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવની સુરક્ષામાં જોવા મળશે નહીં.

  સૂત્રોને મળતી જાણકારી મુજબ આ અંગેના આદેશને મંજૂરી આપી દેવાઈ છે  અને એનએસજીને આ અંગેની જાણ કરવામાં આવશે. જો કે મૂલાયમસિંહ યાદવ અને માયાવતીની સુરક્ષામાં એનએસજી કમાન્ડો તૈનાત રહેશે.

   આ અગાઉ આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને તેમના પરિવારના સભ્યોની સુરક્ષામાં ઘટાડો જોવા મળ્યો હતો. ચંદ્રાબાબુ નાયડૂના દિકરા નારા લોકેશની સુરક્ષા પણ ઘટાડી દેવામાં આવી હતી. આ અગાઉ તેમની પાસે ઝેડ શ્રેણીની સુરક્ષા હતી પરંતુ હવે વાય કરી દેવામાં આવી છે.

  આમ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટી (SP)ના અધ્યક્ષ અખિલેશ યાદવને આપવામાં આવેલી ઝેડ પ્લસ શ્રેણીની 'બ્લેક કેટ' સુરક્ષા કેન્દ્ર સરકાર પરત લેશે. સૂત્રોએ આ અંગેની જાણકારી સોમવારે આપી હતી. વીઆઇપી લોકોની સુરક્ષા પર ગૃહ મંત્રાલય તરફથી લાંબી સમીક્ષા કરવામાં આવી.

(10:08 am IST)