Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

હરિદ્વારથી ખોલા જતી પિકઅપ વૃક્ષ સાથે ટકરાતાં ૧૦નાં મોત

ઉત્તર પ્રદેશના પીલીભીત ભીષણ માર્ગ અકસ્માત : ડ્રાઈવરને ઝોકો આવી જવાના કારણે અકસ્માત સર્જાયો, ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

પીલીભીત, તા.૨૩ : ઉત્તર પ્રદેશના પીલીભીત ભીષણ માર્ગ અકસ્માત થયો છે. મળતી માહિતી પ્રમાણે હરિદ્વારથી ખોલા જઈ રહેલી પિકઅપ વૃક્ષ સાથે અથડાઈ હતી જેમાં ૧૦ લોકોના મોત થઈ ગયા છે. ટોચના જિલ્લા અધિકારી ઘટના સ્થળ પર પહોંચ્યા છે. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ડ્રાઈવરને ઝોકો આવી જવાના કારણે આ અકસ્માત સર્જાયો હતો. પીલીભીતના ગજરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક તેજ રફ્તાર પીકઅપ ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માત સવારે ૪:૦૦ વાગ્યાની આસપાસ થયો હતો. પીકઅપ ઝાડ સાથે અથડાયા બાદ પલટી મારી ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે ડ્રાઈવરને ઝોકો આવી ગયો હતો જેના કારણે આ અકસ્માત થયો હતો.

આ અકસ્માતમાં ૧૦ લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા અને ૬ લોકો ઘાયલ થયા છે. તેમાંથી ૨ લોકોની હાલત ગંભીર છે. આ અકસ્માતનો શિકાર બનેલા મોટા ભાગના લોકો લખમીપુર જિલ્લાના રહેવાસી હતા જેઓ હરિદ્વારથી સ્નાન કરીને પરત ફરી રહ્યા હતા.

યોગી આદિત્યનાથે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, પીલીભીતમાં માર્ગ અકસ્માતમાં થયેલા લોકોના મૃત્યુ ખૂબજ દુઃખદ છે. રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવા અને ઘાયલોને સારવાર આપવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. ભગવાન શ્રી રામ દિવંગત આત્માઓને શાંતિ આપે અને ઘાયલોને ઝડપથી સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે તેવી પ્રાર્થના.

 

(8:10 pm IST)