Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

સાંજે પ વાગ્‍યે શરદ પવારની મહત્‍વની બેઠક

મહારાષ્‍ટ્રનું રાજકિય સંકટ

મુંબઇ, તા., ૨૩: મહારાષ્‍ટ્રમાં ઉદભવેલા રાજકીય સંકટ વચ્‍ચે એનસીપીના નેતા શરદ પવારે સાંજે વિધાયક દળની બેઠક બોલાવી છે. આ બાબતમાં એનસીપી નેતા જયંત પાટીલે જણાવ્‍યું કે, સાંજે પ વાગ્‍યે એનસીપીના તમામ વિધાયકોને બેઠક માટે બોલાવાયા છે. શરદ પવારના નિવાસસ્‍થાને બેઠક મળ્‍યા બાદ શરદ પવારે એનસીપીના વિધાયકોને કહયું હતું કે, સરકાર ટકી રહે તે માટે જરૂરી બધુ આપણે કરવુ પડશે. આપણે ઉધ્‍ધવ ઠાકરે સાથે ઉભુ રહેવુ પડશે. સાંજે પ વાગ્‍યે નવી રણનીતી ઘડાશે.

(3:41 pm IST)