Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

ઉદ્ધવ સરકાર પડવાના એંધાણ: વધુ ચાર ધારાસભ્યો સુરત પહોંચશે :ગુવાહાટીમાં શિંદે સાથે કરશે મુલાકાત

એકનાથ શિંદે સાથે હાલ અપક્ષ અને શિવસેનાના મળીને કુલ 36 ધારાસભ્યો હોવાનો દાવો

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ અટકવાનું નામ નથી લઈ રહ્યું. ત્યારે મહારાષ્ટ્રના વધુ 4 ધારાસભ્ય મુંબઈથી દિલ્હી આવવા રવાના થયા છે. તેઓ ચાર્ટ્ડ પ્લેનથી તેઓ સુરત આવવા રવાના થયા છે. તેઓ સુરથી ગોવાહાટી જવા રવાના થશે. ત્યા તેઓ એકનાથ શિંદે સાથે મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદે સાથે હાલ અપક્ષ અને શિવસેનાના મળીને કુલ 36 ધારાસભ્યો છે.

મહારાષ્ટ્રમાં મંગળવારથી શરૂ થયેલા રાજકીય હાઈવોલ્ટેજ ડ્રામા આજે પણ જારી છે જેના પગલે ઉદ્ધવ ઠાકરેની સરકાર હાલકડોલક થઈ રહી છે આ સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે હથિયાર હેઠા મૂકી દીધા છે તેવી તસ્વીરો સામે આવી રહી છે. ઉદ્ધવ ઠાકરેનું સીએમ હાઉસ ખાલી થવા લાગ્યું છે સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ઉદ્ધવ પણ બહાર નીકળી ગયા છે અને માતોશ્રી બહાર હજારો શિવસૈનિકો ઉમટી પડ્યા છે.

(12:34 am IST)