Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

ઓઆઇસીમાં ભારત વિરૂધ્ધ પાકિસ્તાનને માલદીવનો તમાચો

ભારત સક્રિય રીતે ઇસ્લામોફોબિયોના એજન્ડાને પ્રોત્સાહન આપવાને માલદીવે વખોડયો

નવી દિલ્હી તા. ૨૩ : આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનની ઈજ્જતના ફરી ધજાગરા ઉડ્યા છે. સંયુકત રાષ્ટ્રમાં ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (ઓઆઈસી)ની વર્ચ્યુઅલ મીટિંગ યોજાઈ હતી. પાકિસ્તાને આરોપ લગાવ્યો કે ભારતમાં ઈસ્લામોફોબિયા ફેલાવવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનના આરોપોનો માલદીવે જડબાતોડ જવાબ આપ્યો. માલદીવે કહ્યું કે સોશિયલ મીડિયા પર કેટલાક લોકો જે હરકતો કરી રહ્યાં છે અથવા તો નિવેદનબાજી કરે છે તેને ૧૩૦ કરોડ ભારતીયોના મત સમજી શકાય નહીં. માલદીવે સાથે એ પણ કહ્યું કે ઈસ્લામોફોબીયાને લઈને ઓઆઈસીએ દક્ષિણ એશિયાના કોઈ એક દેશ પર નિશાન સાધવું જોઈએ નહીં.ઙ્ગ

અત્રે જણાવવાનું કે ઓઆઈસીના રાજદૂતની આયોજિત થયેલી આ બેઠકમાં દક્ષિણ એશિયામાં ઈસ્લામોફોબિયા વધવા મુદ્દે ચર્ચા થઈ હતી. બેઠક દરમિયાન પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમે પ્રસ્તાવ રજુ કર્યો કે ભારત સક્રિય રીતે ઈસ્લામોફોબિયાના એજન્ડાને પ્રોત્સાહન આપી રહ્યું છે.ઙ્ગ

ઈસ્લામિક સહયોગ સંગઠન (ઓઆઈસી)ના માનવાધિકાર આયોગે પણ ભારત પર કોરોના વાયરસ દ્વારા મુસ્લિમોની છબી ખરાબ કરીને ઈસ્લામોફોબિયા ફેલાવવાનો આરોપ લગાવ્યો અને તેની ટીકા કરી હતી. ઓઆઈસીએ કહ્યું કે ભારત સરકાર ઈસ્લામોફોબિયાની લહેરને રોકવા માટે તત્કાળ પગલાં ભરે અને મુસ્લિમ સમુદાયના અધિકારોની સુરક્ષા કરે.યુએનમાં માલદીવના સ્થાયી પ્રતિનિધિ થીલમીઝા હુસૈને કહ્યું કે ઙ્ગકેટલાક ભટકેલા લોકો દ્વારા સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવેલી વાતોને ભારતના ૧૩૦ કરોડ લોકોના મત ગણી શકાય નહીં. ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે. ત્યાં અનેક ધર્મો ઉપરાંત ૨૦ કરોડ મુસલમાનો પણ રહે છે. આવામાં ઈસ્લામોફોબિયાની વાત કરવી બેકાર છે કારણ કે તેમાં કોઈ તથ્ય નથી.

(3:01 pm IST)