Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનાં મૃતકોને મોરારિબાપુ દ્વારા ચાર લાખ રૂપિયાથી વધુ રકમની સહાય

ભાવનગર, તા.૨૩ : તાજેતરમાં પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના અનેક જિલ્લાઓમાં અમ્ફાન નામક વાવાઝોડાથી અલ્કપનીય તારાજી સર્જાઈ છે. બંને રાજયોના અનેક લોકો મૃત્યુ પણ પામ્યા છે. આ બંને રાજયોના મૃતકો જેની સંખ્યા હાલમાં ૮૫ જેટલી થવા જાય છે. તેમના પરિવારજનોને શ્રી હનુમાનજીની સાંત્વના રૂપે મોરારિબાપુ દ્વારા પ્રત્યેકને રૂપિયા પાંચ-પાંચ હજારની તત્કાલ સહાય મોકલવામાં આવનાર છે. બંને રાજયોમાં આ વાવાઝોડાથી થયેલા નુકશાન અને મૃત્યુની હજુ વધુ વિગતો મેળવાઈ રહી છે. તે વધશે તો તે પ્રમાણે વધુ સહાય પણ રામકથાના કોલકત્તા સ્થિત શ્રોતાઓ દ્વારા પહોંચાડવામાં આવશે. અત્યાર સુધીની આ સહાયની રકમ રૂપિયા ચાર લાખ પચીસ હજાર થવા જાય છે. તેમ જયદેવભાઈ માંકડ ની યાદીમાં જણાવાયું છે.

(11:43 am IST)