Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

" નહીં ઘરના નહીં ઘાટના" : કેનેડાનું નાગરિકતા મળ્યું ત્યાં વિમાની સેવાઓ બંધ થઇ ગઈ : વતનની નોકરીમાંથી રાજીનામુ આપી દીધા બાદ કોરોનાએ સંજોગો પલટી નાખ્યા : હવે કેનેડા જવાની રાહ જોઈ રહેલા નાગરિકોની વ્યથા

અમદાવાદ : કેનેડાના વર્ક વિઝા ,સ્ટુડન્ટ વિઝા ,કે નાગરિકત્વ મળતા પોતાનું સ્વપ્ન હવે પૂરું થઇ જવામાં છે તેવું લાગતાં કેનેડા જવાની તૈયારી કરી રહેલા ગુજરાત તથા પંજાબ સહિતના નાગરિકો માટે અચાનક સંજોગો પલટાયા છે.કોરોના વાઇરસ ફાટી નીકળતા કેનેડા કે અન્ય તમામ દેશોમાં જવાની ફ્લાઇટ બંધ થઇ જતા આ નાગરિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.તેમણે કેનેડા જવાનું હોવાથી વતનની નોકરીમાંથી પણ રાજીનામુ આપી દીધું હતું.અને હવે કેનેડા જવા  માટે પણ ફ્લાઇટ બંધ છે.તેવા સંજોગોમાં આ નાગરિકોએ કેનેડા ગ્રુપ બનાવી ઉચ્ચ  કક્ષાએ રજૂઆતો કરી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:24 am IST)