Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

હવે આખા પશ્ચિમ બંગાળમાં વર્ચસ્વ કાયમ કરશું : અત્યાચાર છતાં 18 સીટ જીતી :અમિતભાઇ શાહ

કરોડો ગરીબ પરિવારોના આશીર્વાદ તેમનું સમર્થન અમારી વિજયનું કારણ બન્યું

નવી દિલ્હી ;લોકસભા ચૂંટણીમાં શાનદાર વિજય મેળવ્યા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે દિલ્હીના પાર્ટીના મુખ્યાલયમાં કાર્યકરોને સંબોધિત કરતા કહ્યું હતું કે બંગાળની અંદર આટલા બધા અત્યાચાર છતા 18 સીટો ભાજપાએ જીતી છે. પાંચ વિધાનસભા સીટોમાંથી ચારમાં ભાજપનો વિજય થયો છે. આ બતાવે છે કે આવનાર દિવસોમાં આખા બંગાળમાં પોતાનું વર્ચસ્વ કાયમ કરીશું. પાંચ વર્ષની અંદર નરેન્દ્ર ભાઈ મોદી સરકારે દેશના 50 કરોડ ગરીબ પરિવારોના જીવન સ્તરને શાનદાર બનાવવા આઝાદીના 70 વર્ષ પછી પ્રથમ વખત સાર્થક કદમ ઉઠાવ્યા છે. કરોડો ગરીબ પરિવારોના આશીર્વાદ તેમનું જનસમર્થન અમારી વિજયનું કારણ બન્યું છે.

(11:57 pm IST)