Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

વડાપ્રધાન મોદી રોકાયેલ એ કેદારનાથની 'રૂદ્ર ગુફા'માં બુકિંગ માટે અભૂતપૂર્વ ધસારો

રૂદ્ર ગુફાને આધ્યાત્મીક પ્રવાસન સ્થળ તરીકે વિકસીત કરાશે

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ કેદારનાથમાં જે ગુફામાં રોકાયા હતા તે ગુફામાં રોકાવાના બુકિંગ માટે પ્રવાસીઓનો ધસારો થયો છે  હવે આ ગુફાને પ્રસાશન દ્વારા આધ્યાત્મીક પ્રવાસન સ્થળ તરીકે વિકસીત કરવામાં આવશે. 'મોદી ગુફા' તરીકે જાણીતી આ ગુફાના બુકિંગ માટે કેટલાય લોકોએ પૂછપરછ કરી છે.

   ગઢવાલ મંડળ વિકાસ નિગમ દ્વારા વિકસાવવામાં આવેલી આ ગુફાનો ઇતિહાસ બહુ જુનો નથી. કેદારનાથ વિકાસ ધામની જવાબદારી સંભાળ્યા બાદ વડાપ્રધાન મોદીએ જ આ ગુફા બનાવવાનાં નિર્દેશ જાહેર કર્યા હતાં. આ ગુફાનું નામ રુદ્ર ગુફા છે. ગુફાનું નિર્માણ ગત વર્ષે જ થયુ છે. આ ગુફા 12,250 ફિટની ઉંચાઇ પર બનાવવામાં આવી છે. તેનો ઉપયોગ શ્રદ્ધાળુઓ વિધિવત રૂપથી કરી શકે.છે

(9:14 pm IST)