Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળો પર આતંકવાદીઓએ કર્યો ગ્રેનેડ હુમલો ;છ ઘાયલ :સમગ્ર વિસ્તારમાં ઘેરી લેવાયો :સેનાનું સર્ચ ઓપરેશન

 

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કરતાં છથી વધુ લોકો ઘાયલ થયા છે એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ દક્ષિણ કાશ્મીર જિલ્લાના બિજબેહરા વિસ્તારના ગોરીવાન ચોક પર આતંકવાદીઓએ સુરક્ષાબળોના કાફલા પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. હુમલાને પગલે અફરાતફરી મચી જવા પામી હતી. જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા. અધિકારીના જણાવ્યા અનુસાર હુમલાને પગલે સમગ્ર વિસ્તારને ઘેરી લેવાયો છે અને સર્ચ અભિયાન હાથ ધરાયું છે

(10:50 pm IST)