Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

નાશિક ખાતે આસારામ બાપુના આશ્રમનું અતિક્રમણ જામીનદોસ્ત

મુંબઇ, તા.૨૩: નાસિક કોપોરેશનના  કમિશ્નર તુકારામ મુંઢેએ નાશિકમાં અતિક્રમણ હટાવ ઝુંબેશ આદરી છે, જેના ભાગરૂપ ગોદાવરી કાંઠે આવેલા આસારામ બાપુના આશ્રમનું અનધિકૃત બાંધકામ પણ મહાપાલિકા અતિક્રમણ વિરોધી ટુકડીએ જમીનદોસ્ત કરી દીધું છે. આ ઉપરાંત શહેરભરમાં અનેક અતિક્રમણો હટાવવામાં આવ્યા છે. આસારામ બાપુના આશ્રમ પર કાર્યવાહી થતાં જ એક ભકતે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે ૨૮ મે સુધી જૈસે થે સ્થિતિ જાળવી રાખવા માટે આદેશ આપ્યો છે. જોકે ત્યાં સુધી આશ્રમનું અતિક્રમણ મહદંશે હટાવી દેવાયું છે. હવે ૨૮ મેએ કોર્ટના આદેશ પછી જ આગળની કાર્યવાહી થઈ શકશે.(૨૨.૬)

 

(11:51 am IST)