Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

કોંગ્રેસ - જેડીએસ કજોડુ : ભાજપે જનવિરોધી દિન મનાવ્યો

કર્ણાટકમાં આ જોડાણ અપવિત્ર છે, જનાદેશનું અપહરણ થયુ છે : યેદિયુરપ્પાના નેતૃત્વમાં નવી સરકારને કાળા ધ્વજ દેખાડશે : ચોમેર વિરોધ પ્રદર્શનો

બેંગ્લોર, તા. ૨૩ : આજે કુમાર સ્વામીનો ભવ્ય શપથ સમારોહ ચાલી રહ્યો છે. ગૃહમાં પછડાયેલો ભાજપ કર્ણાટકમાં આજે જનવિરોધી દિન મનાવી રહ્યો છે.

યેદિયુરપ્પાની આગેવાનીમાં ભાજપ જનવિરોધી દિન મનાવવો શરૂ કર્યો છે. કોંગ્રેસ - જેડીએસને રાજકીય કજોડુ જાહેર કરીને ભાજપીઓ કાળા વાવટા દેખાડી રહ્યા છે.

કોંગ્રેસ - જેડીએસ વિરોધી સૂત્રોચ્ચારો થઈ રહ્યા છે. વિરોધ પ્રદર્શનો જોરદાર છે, પરંતુ હિંસાના વાવડ નથી. શાંતિપૂર્ણ વિરોધ ચાલી રહ્યો છે. (૧૫.૩)

 

(11:48 am IST)