Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

પેટ્રોલના વધતા ભાવથી મોદી ચિંતીત : સિનીયર પ્રધાનોની બેઠકમાં નિર્ણય લેવાશે

નવી દિલ્હી તા. ૨૩ : પેટ્રોલની વધતી કિંમત વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે વિક્ષેપ કર્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધતા જતા પેટ્રોલના ભાવને લઇને ચિંતા વ્યકત કરતાં તમામ સિનીયર પ્રધાનોની બેઠક બોલાવી છે.

કેન્દ્રની કેબિનટે બેઠક બાદ આ હાઇ લેવલની મીટીંગ યોજાય તેવી શકયતા છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ આજરોજ સરકાર પેટ્રોલની કિંમતમાં ઘટાડાને લઇને કોઇ નવી ફોર્મ્યુલા લાવી શકે છે. ઉલ્લેખનીય છે કે જયાં સરકાર પોતાના ૪ વર્ષ પુરા થવાને લઇને દેશભરમાં જયારે ઉજવણી કરવા જઇ રહી છે ત્યારે જ પેટ્રોલ-ડીઝલની કિંમતના વધારો સરકારની ઉજવણીમાં ખલેલ પાડી શકે છે.

સરકારે કિંમત ઘટાડાવાને લઇ તમામ વિકલ્પો પર વિચાર કરી રહી છે. જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ આ તમામ પહેલુઓ પર વિચાર કર્યા બાદ પણ એકસાઇઝ અને વેટમાં ઘટાડાના વિકલ્પને અમલમાં મુકવાની શકયતાઓ જોવા મળી રહી છે. ભાજપ પોતાના શાસિત રાજયોમાં વેટમાં ઘટાડા અંગે આદેશ આપી શકે છે.

ઉલ્લેખનીય છે ગઇકાલો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આ વાતનું આશ્વાસન આપ્યું છે સરકાર આ મામલાને ગંભીરતાથી લઇ રહી છે. અમિત શાહે જણાવ્યું હતું કે પેટ્રોલિયમ પ્રધાન તેલ કંપનીઓના અધિકારીઓ સાથે બેઠક કરવાના છે, જો કે ગઇકાલે યોજાનારી બેઠક મુલતવી રહી હતી જે આજરોજ યોજાવાની શકયતા છે. અમિત શાહે જણાવ્યું કે અમે એવી ફોર્મ્યુલા પર કામ કરી રહ્યાં છે જેમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો કરી શકાય.(૨૧.૫)

(10:36 am IST)