Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

વિમાની યાત્રીઓને રાહત : રિફંડ અને કેન્સલેશન નિયમો બદલાયા

વિમાની કંપનીઓની મનમાની ખતમ કરવા મોટા સુધારાઓ જાહેર : પેસેન્જર ચાર્ટર માટે ડ્રાફ્ટ જારી : કેબિનેટ મંજુરી બાદ અમલી થશે : ફ્લાઇટ બુકિંગ બાદ ૨૪ કલાકમાં લોગીન ઓપ્શનો : કેન્સલેશન પર કોઇ ચાર્જ નહીં

નવીદિલ્હી,તા. ૨૨ : કેન્દ્ર સરકારે વિમાની કંપનીઓની મનમાનીને ખતમ કરવા માટે એવિએશન સેક્ટરમાં મોટા સુધારાઓની આજે જાહેરાત કરી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રી જયંત સિંહાએ આજે વિમાની યાત્રીઓ માટે શ્રેણીબદ્ધ ભેંટ સોગાદોની જાહેરાત કરી હતી. પેપરલેસ યાત્રા માટે બીજી યાત્રાની શરૂઆતની સાથે સાથે કેન્સલેશન ચાર્જ પર મોટી રાહત મળવા જઈ રહી છે. સરકારે પેસેન્જર ચાર્ટર માટે ડ્રાફ્ટ જારી કરી દીધો છે. કેબિનેટની મંજુરી મલી ગયા બાદ આને લાગૂ કરવામાં આવશે. ડ્રાફ્ટની જોગવાઈ અંગે માહિતી આપતા ઉડ્ડયન મંત્રી જયંત સિંહાએ કહ્યું હતું કે, ફ્લાઇટ બુકિંગ બાદ ૨૪ કલાકના ઓનલાઈન ઓપ્શન રહેશે. ત્યારબાદ અને ફ્લાઇટના સમયથી ૯૬ કલાક પહેલા સુધી ટિકિટ કેન્સલેશન પર કોઇ ચાર્જ લાગૂ થશે નહીં. આ ઉપરાંત ૨૪ કલાકની અંદર ટિકિટમાં નામ સરનામા જેવા ફેરફાર પણ કોઇપણ ચાર્જ વગર કરાવી શકાશે. મંત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે, કોઇપણ સ્થિતિમાં કેન્સલેશન ચાર્જ બેઝિક ભાડા અથવા તો ફ્યુઅલ ચાર્જના પ્લસથી વધારે હોઈ શકે નહીં. નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રીએ કહ્યું હતું કે, જો એરલાઈન્સ કંપનીઓની ભુલના કારણે ફ્લાઇટમાં ડિલે થાય છે તો તેમને યાત્રીઓને વળતર આપવાની જરૂર પડશે. જો ફ્લાઇટ આગામી દિવસ સુધી માટે ડિલે થાય છે તો કોઇપણ પ્રકારના વધારાના ચાર્જ માટે યાત્રીઓના હોટલમાં રોકાવવાની વ્યવસ્થા કરવી પડશે. કનેક્ટિંગ ફ્લાઇટ મિસ થવાની સ્થિતિમાં પણ કંપનીઓને વળતર આપવાની ફરજ પડશે. ફ્લાઇટ ચાર કલાકથી વધારે ડિલે થવાની સ્થિતિમાં યાત્રી ટિકિટ કેન્સલ કરાવી શકે છે અને તેમને સંપૂર્ણ પૈસા રિફંડ કરી દેવામાં આવશે. જો યાત્રીઓને બે સપ્તાહથી ઓછા અને યાત્રાના ૨૪ કલાક પહેલા સુધી ફ્લાઇટ કેન્સલ થવાની સૂચના આપવામાં આવે છે તો એરલાઈન્સ કંપનીઓને જુના કાર્યક્રમ મુજબ બે કલાકની અંદર બીજી ફ્લાઇટ અથવા તો ટિકિટ રિફંડની વ્યવસ્થા કરી આપવાની રહેશે. આ બાબત યાત્રી ઉપર આધારિત રહેશે. તે ટિકિટ રિફંડ લેશે કે પછી યાત્રા કરવાનું પસંદ કરશે તે બાબત યાત્રી ઉપર આધારિત રહેશે. જો કોઇ યાત્રી ત્રણ કલાકથી  પણ વધારે વિલંબના લીધે કનેક્ટિંગ ફ્લાઇટ મિસ કરે છે તો એરલાઈન્સ કંપનીને ૫૦૦૦ રૂપિયા વળતર આપવાની જરૂર રહેશે. જો આ વિલંબ ચારથી ૧૨ કલાકનો રહે છે તો ૧૦૦૦૦ રૂપિયા અને ૧૨ કલાકથી વધારેનો વિલંબ થાય છે તો ૨૦૦૦૦ રૂપિયા આપવાની જરૂર રહેશે. પ્લેનના ટેકઓફ કરતી વેળા યાત્રીઓને ઇન્ટરનેટની સુવિધા મળી શકે છે. અલબત્ત તેમને ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇઝને ફ્લાઇટ મોડમાં રાખવાની જરૂર પડશે. મોબાઇલ સેવા પણ એજ વખતે મળશે જ્યારે વિમાન ૩૦૦૦ મીટરથી ઉપર રહેશે. સરળતાથી ફ્લાઇટ બુકિંગ અને કેન્સલેશન માટે એર સેવા મોબાઇલ અને વેબ એપ્લીકેશનને વધારે વ્યવસ્થિત કરવામાં આવશે. સોશિયલ મિડિયા આઈડી મારફતે એર સેવામાં લોગઇનની સુવિધા આપવામાં આવશે. જયંત સિંહાએ કહ્યું હતું કે, ચાર્ટરના કાનૂન બની ગયા બાદ એરલાઈન્સ કંપનીઓને તેમને લાગૂ કરવાની જરૂર રહેશે. તમામ સંબંધિતો સાથે વાતચીત કરવામાં આવ્યા બાદ આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાત્રીઓને કેન્સલેશન ચાર્જથી રાહતની ખુબ જ જરૂર દેખાઈ રહી હતી. અમે આને પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છીએ. સરકારે કહ્યું છે કે, ખાસ જરૂરિયાતવાળા દિવ્યાંગ યાત્રીઓ માટે ખાસ જોગવાઈ કરવામાં આવશે. આની સાથે સાથે સરકાર સ્થાનિક વિમાની યાત્રીઓને પેપરલેસ સફરની સુવિધા આપવા જઇ રહી છે. આના માટે યાત્રીઓને એક યુનિક નંબર આપવામાં આવશે. યાત્રા સમયે એરપોર્ટ પર તેમને માત્ર આ નંબર દર્શાવવાની જરૂર રહેશે. આવુ કરવાની સ્થિતિમાં તેઓ પોતાના સમયની બચત કરી શકશે. બીજી યાત્રા હેઠળ ઓળખપત્ર માટે આધાર ફરજિયાત રહેશે નહીં.

વાઈફાઈ અને મોબાઇલ સેવા વિમાનમાં મળશે....

એર સેવાને વધુ વ્યવસ્થિત કરાશે

        નવીદિલ્હી, તા.૨૨ : વિમાની યાત્રીઓને મોટી રાહત આપવા માટે ડ્રાફ્ટ પોલિસી તૈયાર કરી લેવામાં આવી છે જેના ભાગરુપે રિફંડ અને કેન્સલેશન નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી જયંત સિંહાનું કહેવું છે કે, સરળતાથી ફ્લાઇટ બુકિંગ અને કેન્સલેશન સેવા માટે એર સેવા મોબાઇલ અને વેબ એપ્લિકેશનને વધુ વ્યવસ્થિત કરવામાં આવશે. સોશિયલ મિડિયા આઈડી મારફતે પણ એર સેવામાં લોગીનની સુવિધા આપવામાં આવશે. જયંત સિંહાએ કહ્યું છે કે, વિમાનના ટેક ઓફ કરતા જ યાત્રીઓને ઇન્ટરનેટની સુવિધા મળી શકશે. અલબત્ત તેમને ઇલેક્ટ્રોનિક્સ ડિવાઈઝને ફ્લાઇટ મોડમાં રાખવાની જરૂર પડશે. મોબાઇલ સેવા એજ વખતે મળશે જ્યારે વિમાન ૩૦૦૦ મીટરથી ઉપર રહેશે. યાત્રીઓની સુવિધા માટે વિવિધ પગલા લેવાયા છે.

(8:48 pm IST)