Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

તિરૂપતિ-તિરૂમાલા દેવસ્થાનના મુખ્ય પૂજારીની હકાલપટ્ટીઃ સુબ્રમણ્યમ સ્વામી ક્રોધિતઃ સુપ્રિમમાં જશેઃ તપાસ માંગી

તિરૂપતિ-તિરૂમાલા દેવસ્થાનના મુખ્ય પૂજારી રામન્ના દિક્ષીતાલુને પદભ્રષ્ટ કરાતા સુબ્રમણ્યમ સ્વામી લાલપીળાઃ દેવસ્થાને પોતાની સત્તાનો સંપૂર્ણ ગેરકાનૂની ઉપયોગ કર્યો છેઃ સુપ્રીમ કોર્ટમાં જઈ આ હુકમ રદ કરાવવા અને મંદિરના ફંડનો દેવસ્થાન દ્વારા ગેરઉપયોગ અંગે સીબીઆઈ તપાસ માગવા ટ્વીટર દ્વારા જાહેરાત કર્યાનું ડો. જી પ્રધાન તેમના ટ્વીટર હેન્ડલ ઉપર નોંધે છે. દરમિયાન સ્વામીના ટ્વીટના પ્રતિભાવમાં શ્રી રાકેશ લખે છે કે તિરૂપતિ ખાતે 'સ્પેશ્યલ દર્શન'ની ટિકીટો આવતા ૧૦ વર્ષ માટે બુક થઈ ગઈ છે !! આના ઉપરથી દર્શાય છે કે ટીટીડી સંસ્થાન અને સભ્યો કેટલા ભ્રષ્ટ છે.

(11:46 am IST)