Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

ધાતુ-ફાઈનાન્સ કંપનીઓના શેરોમાં જોરદાર ઊછાળો

બજાર પર સકારાત્મક વૈશ્વિક સંકેતોની અસર : સેન્સેક્સ ૩૦૦ પોઈન્ટ અપ, દેશમાં કોવિડના કેસો સૌથી વધુ છતાં રોકાણકારોએ રસીકરણ કાર્યક્રમમાં ધ્યાન આપ્યું

મુંબઈ, તા. ૨૨ : સકારાત્મક વૈશ્વિક સંકેતો વચ્ચે ઘરેલુ શેર બજારો ગુરુવારે ઊંચા બંધ રહ્યા હતા. ખાનગી ક્ષેત્રની બેંકો, ફાઇનાન્સ અને મેટલ ક્ષેત્રની કંપનીઓના ઉદય સાથે શેર બજારો લીલા નિશાન પર બંધ રહ્યા હતા. બીએસઈ સેન્સેક્સ ૩૭૪.૮૭ પોઇન્ટ અથવા ૦.૭૯ ટકા વધીને ૪૮,૦૮૦.૬૭ ની સપાટીએ બંધ રહ્યો છે. બીજી તરફ એનએસઈ નિફ્ટી ૧૦૯.૭૫ પોઈન્ટ એટલે કે ૦.૭૭ ટકાના વધારા સાથે ૧૪,૪૦૬.૧૫ પોઇન્ટના સ્તર પર બંધ થયો છે. નિફ્ટીમાં વિપ્રો, આઈસીઆઈસીઆઈ બેક્ન, ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને એચડીએફસી સૌથી વધુ વધ્યા હતા. બીજી તરફ, શ્રી સિમેન્ટ્સ, ટાટા કન્ઝ્યુમર, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ અને નેસ્લે ઇન્ડિયાના શેર લાલ નિશાન સાથે બંધ થયા છે.

સેક્ટોરલ ઈન્ડેક્સ વિશે વાત કરવામાં આવે તો નિફ્ટી પ્રાઈવેટ બેંક, નિફ્ટી મેટલ, નિફ્ટી ફાઇનાન્સ સર્વિસિસ અને નિફ્ટી મીડિયા એક-એક ટકાના ઉછાળા સાથે બંધ થયા છે. તે જ સમયે, એફએમસીજી, ફાર્મા અને આઇટી સૂચકાંકો લાલ નિશાન સાથે બંધ થયા છે.

બીએસઈ સેન્સેક્સમાં આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં સૌથી વધુ ૩.૬૦ ટકાનો ઉછાળો જોવા મળ્યો. એ જ રીતે, એચડીએફસી, બજાજ ઓટો, એચડીએફસી બેંક, એસબીઆઈ, કોટક મહિન્દ્રા બેક્ન, બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેંક, આઇટીસી, ડો. રેડ્ડીઝ, લાર્સન અને ટુબ્રો, એનટીપીસી, ઓએનજીસી, રિલાયન્સ, બજાજ ફિનસર્વ, પાવરગ્રીડ, ભારતી એરટેલ, મારુતિ અને ઇન્ફોસિસના શેર લીલા નિશાન પર બંધ થયા છે.

બીજી તરફ, ટાઇટનના શેરમાં સૌથી વધુ ૨.૭૫ ટકાનો ઘટાડો દિવસના અંતે જોવા મળ્યો હતો. એ જ રીતે, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, એશિયન પેઇન્ટ, નેસ્લે ઈન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટેક મહિન્દ્રા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઇન્ડસઇન્ડ બેંક, ટીસીએસ, સન ફાર્મા અને એચસીએલ ટેકના શેર લાલ નિશાન સાથે બંધ થયા છે.

એલ.કે.પી. સિક્યોરિટીઝના હેડ (રિસર્ચ) એસ. રંગનાથને કહ્યું, દેશમાં એક જ દિવસમાં કોવિડના નવા કેસો સૌથી વધુ હોવા છતાં, રોકાણકારોએ રસીકરણ કાર્યક્રમમાં વ્યાપક ધ્યાન આપ્યું. આને કારણે, શેર બજારો અસ્થિર સત્રમાં બંધ રહ્યા હતા. આજના બિઝનેસમાં સ્ટીલ કંપનીઓનો શેર ફરી એકવાર મહત્વપૂર્ણ છે.

(12:00 am IST)