Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

મમતા બેનરજીને વડાપ્રધાન તરીકે જોવા માંગુ છું :પૂર્વ કેન્દ્રીયમંત્રી યશવંતસિંહાનું મોટું નિવેદન

મતદાન બાદ પીએમ મોદી અને અમિતભાઇ શાહના રોડ શો બાબતે ચૂંટણી પંચ પર ઉઠાવ્યા સવાલ

 

નવી દિલ્હી :ભાજપના પૂર્વ નેતા અને કેન્દ્રમાં મંત્રી રહી ચૂકેલા યશવંત સિન્હાએ કહ્યું છે કે, તેઓ ટીએમસી નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને વડાપ્રધાન તરીકે જોવા માંગે છે. તેમણે વડાપ્રધાન મોદીના રોડ શો વિશે કહ્યું કે, મત આપ્યા બાદ વડાપ્રધાન મોદી અને અમિતભાઈ  શાહે રોડ-શો કર્યો, શું જરૂર હતી ખુલ્લી જીપમાં આવવાની? શું આચારસંહિતાનું ઉલ્લંઘન નથી? ચૂંટણીના દિવસે પણ તેઓ રોડ શો કરે છે, ચૂંટણીપંચને શું થયું? વડાપ્રધાન સામે ચૂંટણીપંચ લાચાર થઇ જાય છે, તેના કોઇ ક્ષમતા નથી.

   તેમણે કહ્યું કે, હું માનતો હતો કે નોટબંધી ખોટું પગલું છે. પરંતુ તેની પાછળ એક ષડ્યંત્ર હતું જેનો પુરાવો આજે દેશની સામે છે. કાળા નાણાંને 40 ટકા સફેદ કરી દીધું. દુનિયા જાણે છે કે કેપ્ટન અભિનંદનને અમેરીકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના દબાવથી પાકિસ્તાને છોડવો પડ્યો અને તેઓ કહે છે કે તે એક ખૂની રાત થઇ જાત જો અભિનંદનને છોડવામા નહી આવ્યો હોત.

(12:23 am IST)