Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

મતદાન બાદ રોડ-શો કરવા બાબતે વડાપ્રધાન મોદીને રાહત:કેન્દ્રિય ચૂંટણી પંચે ક્લિનચીટ આપી

મતદાન કર્યા બાદ કરેલો રોડ-શો આચારસંહિતાનું ઉલ્લંઘન નથી

નવી દિલ્હી :ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીને ક્લીન ચીટ આપી છે. ચૂંટણી પંચે કહ્યું કે પીએમ મોદીએ અમદાવાદમાં મતદાન કર્યા બાદ કરેલો રોડ-શો આચારસંહિતાનું ઉલ્લંઘન નથી

  .પીએમ મોદીએ  અમદાવાદમાં મતદાન કર્યા બાદ રોડ શૉ કર્યો. જેને લઈને કોંગ્રેસ ભડકી ઉઠી હતી. દિલ્હીમાં અભિષેક મનુ સિંઘવીના નેતૃત્વમાં કોંગ્રેસનું એક ડેલીગેશન મુખ્ય ચૂંટણી પંચને મળીને પીએમ મોદી વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ કરી હતી. અને કોંગ્રેસે પીએમ મોદીના પ્રચાર પર 48થી 72 કલાક સુધી પ્રતિબંધ ફરમાવવા અપીલ કરી હતી.

(10:19 pm IST)